Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જૂનાગઢના ગાંધી ચોક નજીક આવેલી મટન માર્કેટ અને સ્લોટર હાઉસ સુખનાથ ચોક માં ફેરવવા માંગણી

જૂનાગઢ શહેરના ગાંધી ચોક નજીક મટન માર્કેટ આવેલી છે જેના લીધે શહેરીજનોને ખૂબ જ અવરોધ ઊભો થાય છે અને લોકોને પણ મુશ્કેલી થાય છે આ અંગે અગાઉ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં મહાનગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી થઇ નથી આ મામલે ભાજપના પૂર્વ નગરસેવક વહાબભાઈ કુરેશીએ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી હાલ જે મટન માર્કેટ છે તે સુખનાથ ચોક નજીક આવેલા મહાનગરપાલિકાના ડેલા માં ફેરવવા માંગ કરી છે આ જગ્યા મોટી છે અને સ્લોટર હાઉસ પણ ત્યાં થઈ શકે એમ છે આથી મહાનગરપાલિકાને બે અલગ અલગ જગ્યા ન આપવી પડે આ મામલે વિસ્તારનાં વેપારીઓ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને લોકો પણ સહમત હોવાનું જણાવ્યું હતું કે આ મામલે વિચારણા કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે જો સ્લોટર હાઉસ અને મટન માર્કેટ ફેરવવામાં આવે તો જૂનાગઢમાં મુખ્ય ચોક એવા ગાંધી ચોક ના વેપારી અને રાહદારીઓ માટે પણ અનુકૂળતા આવે તેવી વ્યવસ્થા થઈ શકે તેમ છે ત્યારે હવે મહાનગરપાલિકા શું નિર્ણય લે છે તેના પર લોકો મીટ માંડીને બેઠા છે

संबंधित पोस्ट

ભાજપ ગૌરવ યાત્રા દ્વારા 144 મતવિસ્તારોમાં 2.5 કરોડ મતદારો સુધી પહોંચશે

નીતીશ કુમાર બોલ્યા- ‘દરેક સમસ્યાનું થશે સમાધાન; તેજસ્વીએ કહ્યું- બિહારમાં વાતાવરણ સારું છે

ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની મેંદરડામાં આંબેડકર ચોક ગરબી મંડળમાં હાજરી આપી ગરબે રમ્યા

સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકનું કોરોના રસીકરણ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ

Karnavati 24 News

મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેકટોનું 2022માં સમયાંતરે થશે લોકાપર્ણ

Karnavati 24 News

PM મોદીએ નવા વાણિજ્ય ભવનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું યોગ્ય સમયે સરકારી કામ કરવાનું અમારું લક્ષ્ય

Karnavati 24 News
Translate »