Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જૂનાગઢના ગાંધી ચોક નજીક આવેલી મટન માર્કેટ અને સ્લોટર હાઉસ સુખનાથ ચોક માં ફેરવવા માંગણી

જૂનાગઢ શહેરના ગાંધી ચોક નજીક મટન માર્કેટ આવેલી છે જેના લીધે શહેરીજનોને ખૂબ જ અવરોધ ઊભો થાય છે અને લોકોને પણ મુશ્કેલી થાય છે આ અંગે અગાઉ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં મહાનગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી થઇ નથી આ મામલે ભાજપના પૂર્વ નગરસેવક વહાબભાઈ કુરેશીએ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી હાલ જે મટન માર્કેટ છે તે સુખનાથ ચોક નજીક આવેલા મહાનગરપાલિકાના ડેલા માં ફેરવવા માંગ કરી છે આ જગ્યા મોટી છે અને સ્લોટર હાઉસ પણ ત્યાં થઈ શકે એમ છે આથી મહાનગરપાલિકાને બે અલગ અલગ જગ્યા ન આપવી પડે આ મામલે વિસ્તારનાં વેપારીઓ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને લોકો પણ સહમત હોવાનું જણાવ્યું હતું કે આ મામલે વિચારણા કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે જો સ્લોટર હાઉસ અને મટન માર્કેટ ફેરવવામાં આવે તો જૂનાગઢમાં મુખ્ય ચોક એવા ગાંધી ચોક ના વેપારી અને રાહદારીઓ માટે પણ અનુકૂળતા આવે તેવી વ્યવસ્થા થઈ શકે તેમ છે ત્યારે હવે મહાનગરપાલિકા શું નિર્ણય લે છે તેના પર લોકો મીટ માંડીને બેઠા છે

संबंधित पोस्ट

અમરેલી જિલ્લામાં સક્રિય લુંટારૂ ગેંગને જેલ કરવા ધારાસભ્ય પરેશ ધાનાણીની માંગ

Karnavati 24 News

વિધાનસભામાં એક દિવસ માટે 182 ધારાસભ્યોની જગ્યાએ વિદ્યાર્થીઓ બેસશે, સીએમ-વિપક્ષના નેતાઓ પણ વિદ્યાર્થીઓ હશે.

Karnavati 24 News

વિધાનસભામાં સીએમ કેજરીવાલે કહ્યું, ‘દિલ્હીનું બજેટ રોકીને કેન્દ્રએ બંધારણ પર હુમલો કર્યો’

Karnavati 24 News

કેબિનેટ બેઠકમાં બિલો, બજેટના એલોકેશન, વડાપ્રધાનના પ્રવાસને લઈને થઈ ચર્ચા

Karnavati 24 News

પાટણના રોટલીયા હનુમાન મંદિર ખાતેથી હાંસાપુર રામાપીરના મંદિર સુધી ભકિતસભર માહોલમાં પદયાત્રા યોજાઇ

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022: AAPએ ઉડાડી ભાજપની ઉંઘ! પીએમ મોદી અને અમિત શાહ સામે ગઢ બચાવવાનો પડકાર

Admin