Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાટણમાં પંચોલી સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ પ્રસંગે ફૂલોની આગી કરાઈ

પાટણ શહેરમાં આજે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કારીગર, શ્રમિકો, શિલ્પીઓનાં પરિવારો-જ્ઞાતિ સમાજો દ્વારા કરાઈ હતી. સૃષ્ટિનાં સર્જનહાર અને વિશ્વનાં સ્થાપતિ એવા ભગવાન વિશ્વકર્માની આજે જન્મજ્યંતિ પર્વ નિમિત્તે પાટણનાં હિંગળાચાચરમાં આવેલા પંચોલી સુથાર જ્ઞાતિની વાડી ખાતે આવેલા ભગવાન વિશ્વકર્માજીનાં મંદિર ખાતે આજે ભગવાનને સુંદર આંગી રચના કરાઇ હતી. આ પ્રસંગે ભગવાન પૂજા અભિષેક ,સત્યનારાયણ ભગવાનની કથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં દર્શને મોટી સંખ્યામાં સમાજનાં આગેવાનો ઉમટયા હતા. તો બીજી તરફ શહેરના જુનાગઢ વિસ્તારમાં આવેલ મનુ પંચાલ ભવન ખાતે વિશ્વકર્મા ની જન્મ જયંતી નિમિત્તે પ્રતિવર્ષની પરંપરા મુજબ વિશ્વકર્મા સમક્ષ યજ્ઞ યોજાયો હતો. જેમાં યજમાન દંપતિએ બિરાજમાન થઈ મંત્રોચાર સાથે આહુતિ આપી હતી. ત્યારબાદ ભગવાન વિશ્વકર્માની બગીમાં શોભાયાત્રા યોજાઇ હતી. આ શોભાયાત્રામાં સમાજના વડીલો મહિલાઓ અને યુવાનો જોડાયા હતા જે શોભાયાત્રા શહેરના અન્ય માર્ગો પરથી જ અને પંચાયત ભવન ખાતે સમાપન કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈ સમાજના શ્રદ્ધાળુ ભક્તોએ મૂર્તિની સમક્ષ છપ્પન ભોગના અન્નકૂટ મનોરથ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાટણ શહેરના વિવિધ વિશ્વકર્માના સ્થાનકો પર ભગવાન વિશ્વકર્મા ની જન્મ જયંતી ની ધર્મમય માહોલમાં ઉજવણી કરાઇ હતી.

संबंधित पोस्ट

પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે ઉમેદવારી ફોર્મ ભર્યું

Admin

ગિરનારની લીલી પરિક્રમા કરવા ભવનાથમાં ત્રણ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા

Admin

95 દેશના દોઢ લાખ લોકો પર પ્યૂરિસર્ચનો સરવે કરાતા જાણવા મળ્યું, 100 કરોડથી વધુ લોકો જાદુ-ટોણાંમાં વિશ્વાસ કરે છે

Admin

 જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવું જીમ આવ્યું તૈયાર કરવામાં

Karnavati 24 News

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી

Karnavati 24 News

 વિસાવદરના રાજકારણમાં અનોખી ખેલદિલી, ભાજપ-કોંગ્રેસ અગ્રણીઓએ સરપંચને સાથે મળી પાઠવી શુભેચ્છા

Karnavati 24 News