Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાટણમાં પંચોલી સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ પ્રસંગે ફૂલોની આગી કરાઈ

પાટણ શહેરમાં આજે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કારીગર, શ્રમિકો, શિલ્પીઓનાં પરિવારો-જ્ઞાતિ સમાજો દ્વારા કરાઈ હતી. સૃષ્ટિનાં સર્જનહાર અને વિશ્વનાં સ્થાપતિ એવા ભગવાન વિશ્વકર્માની આજે જન્મજ્યંતિ પર્વ નિમિત્તે પાટણનાં હિંગળાચાચરમાં આવેલા પંચોલી સુથાર જ્ઞાતિની વાડી ખાતે આવેલા ભગવાન વિશ્વકર્માજીનાં મંદિર ખાતે આજે ભગવાનને સુંદર આંગી રચના કરાઇ હતી. આ પ્રસંગે ભગવાન પૂજા અભિષેક ,સત્યનારાયણ ભગવાનની કથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં દર્શને મોટી સંખ્યામાં સમાજનાં આગેવાનો ઉમટયા હતા. તો બીજી તરફ શહેરના જુનાગઢ વિસ્તારમાં આવેલ મનુ પંચાલ ભવન ખાતે વિશ્વકર્મા ની જન્મ જયંતી નિમિત્તે પ્રતિવર્ષની પરંપરા મુજબ વિશ્વકર્મા સમક્ષ યજ્ઞ યોજાયો હતો. જેમાં યજમાન દંપતિએ બિરાજમાન થઈ મંત્રોચાર સાથે આહુતિ આપી હતી. ત્યારબાદ ભગવાન વિશ્વકર્માની બગીમાં શોભાયાત્રા યોજાઇ હતી. આ શોભાયાત્રામાં સમાજના વડીલો મહિલાઓ અને યુવાનો જોડાયા હતા જે શોભાયાત્રા શહેરના અન્ય માર્ગો પરથી જ અને પંચાયત ભવન ખાતે સમાપન કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈ સમાજના શ્રદ્ધાળુ ભક્તોએ મૂર્તિની સમક્ષ છપ્પન ભોગના અન્નકૂટ મનોરથ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાટણ શહેરના વિવિધ વિશ્વકર્માના સ્થાનકો પર ભગવાન વિશ્વકર્મા ની જન્મ જયંતી ની ધર્મમય માહોલમાં ઉજવણી કરાઇ હતી.

संबंधित पोस्ट

બીમાર માતાની સારવાર માટે નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટે 5 દિવસના શરતો સાથે હંગામી જામીન મંજૂર કર્યા

Gujarat Desk

જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ અલંગ-સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ વિશ્વ લેવલે મોટું નામ છે પરંતુ મજુરોના . વિકાસ માટે મજૂરોને પ્રાથમિક સુવિધા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી

Karnavati 24 News

આજનું રાશિફળ (20/10/2025)

Gujarat Desk

અંકિતા ભંડારી હત્યા કેસ: ઉત્તરાખંડની કોટદ્વાર કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

Gujarat Desk

આઈટી કંપનીઓ હવે H-1B વિઝા પર ઓછું નિર્ભર થવા સજ્જ…!!

Gujarat Desk

અમદાવાદમાં રાજ્યકક્ષાનો દ્વિદિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ સંપન્ન

Gujarat Desk
Translate »