Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભચાઉમાં શહેરનો ૩૭૪મો સ્થાપના દિવસ ભચાઉ નગરપાલિકા દ્વારા ઉજવવામાં આવ્યો

૨૦૦૧ ના ભૂકંપમાં કચ્છનું કેન્દ્રબિંદુ ગણાતું ભચાઉ શહેરનો ૩૭૪ મો સ્થાપના દિન ઉજવવામાં આવ્યો હતો. જેમાં મોટા મોટા મહાનુભાવો હાજર રહ્યા હતા. ભૂકંપમાં તહસ નહસ થયેલા ભચાઉના ૩૭૪ મા સ્થાપના દિનની ઉજવણી શહેરના સ્થાપકની પ્રતિમાના પૂજન – અર્ચન , હારારોપણ સાથે કરાઇ હતી . ભચાઉ નગર પાલિકા દ્વારા ભચાઉ શહેરના ૩૭૪ મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે શહેરના સ્થાપક રામસંગજી જાડેજાની પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ભચાઉ પાલિકા પૂર્વ પ્રમુખ ઉર્મિલાબેન પટેલની ઉપસ્થિતિમાં ઉપપ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ૨૦૧૫ માં ઠરાવ કરી મહા સુદ નોમના દિવસે ભચાઉનો સ્થાપના દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. તા.૧૦/૨ , ગુરુવારે ભચાઉ નગર પાલિકાના પ્રમુખ કલાવતીબેન ઉમિયાશંકર જોશીના હસ્તે ભચાઉનું તોરણ બાંધનારા રામસંગજી જાડેજાની પ્રતિમાનું પૂજન અર્ચન કરી હારારોપણ કરાયું હતું . જેમાં શહેરના અગ્રણીઓ જનકસિંહ જાડેજા , અરજણ રબારી , ભરત કાવતરા , પાલિકાના કીર્તિસિંહ જાડેજા , એસ.ડી.ઝાલા , વિકાસ રાજગોર , ઉમિયાશંકર જોષી , વેપારી મંડળના હર્ષદભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

संबंधित पोस्ट

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

સાવરકુંડલામાં રાજ દરબાર ગઢ ખંડેર બન્યો ,ઈમલો હટાવી રીનોવેશન કરવાની માંગણી ઉઠી

Admin

 ચલાલા નગરપાલિકામાં ચીફ ઓફિસર સામે ઉઠ્યો વિરોધનો સૂર

Karnavati 24 News

દક્ષિણ ભારતનું સૌથી મોટું મ્યુઝિક લેબલ લાહિરી મ્યુઝિકનું ફિલ્મ નિર્માણમાં પ્રવેશ

Karnavati 24 News

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલ ના છઠ્ઠા માળેથી પડતું મૂકીને આપધાત કયૉ.

Karnavati 24 News

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

Karnavati 24 News