Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભચાઉમાં શહેરનો ૩૭૪મો સ્થાપના દિવસ ભચાઉ નગરપાલિકા દ્વારા ઉજવવામાં આવ્યો

૨૦૦૧ ના ભૂકંપમાં કચ્છનું કેન્દ્રબિંદુ ગણાતું ભચાઉ શહેરનો ૩૭૪ મો સ્થાપના દિન ઉજવવામાં આવ્યો હતો. જેમાં મોટા મોટા મહાનુભાવો હાજર રહ્યા હતા. ભૂકંપમાં તહસ નહસ થયેલા ભચાઉના ૩૭૪ મા સ્થાપના દિનની ઉજવણી શહેરના સ્થાપકની પ્રતિમાના પૂજન – અર્ચન , હારારોપણ સાથે કરાઇ હતી . ભચાઉ નગર પાલિકા દ્વારા ભચાઉ શહેરના ૩૭૪ મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે શહેરના સ્થાપક રામસંગજી જાડેજાની પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ભચાઉ પાલિકા પૂર્વ પ્રમુખ ઉર્મિલાબેન પટેલની ઉપસ્થિતિમાં ઉપપ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ૨૦૧૫ માં ઠરાવ કરી મહા સુદ નોમના દિવસે ભચાઉનો સ્થાપના દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. તા.૧૦/૨ , ગુરુવારે ભચાઉ નગર પાલિકાના પ્રમુખ કલાવતીબેન ઉમિયાશંકર જોશીના હસ્તે ભચાઉનું તોરણ બાંધનારા રામસંગજી જાડેજાની પ્રતિમાનું પૂજન અર્ચન કરી હારારોપણ કરાયું હતું . જેમાં શહેરના અગ્રણીઓ જનકસિંહ જાડેજા , અરજણ રબારી , ભરત કાવતરા , પાલિકાના કીર્તિસિંહ જાડેજા , એસ.ડી.ઝાલા , વિકાસ રાજગોર , ઉમિયાશંકર જોષી , વેપારી મંડળના હર્ષદભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

संबंधित पोस्ट

સુરત ના વરાછા ઝોન ઓફિસ ખાતે સોસાયટી રહીશો નો મોરચો

Karnavati 24 News

 અમરેલી જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન અમરેલી જિલ્લા જેલની મુલાકાત લેતાં ભાવનગર રેન્જ વડા આઇ.જી.પી. અશોક કુમાર (IPS)

Karnavati 24 News

શોમનાથ બાયપાસ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 વ્યકિતનાં મોત

Admin

સમગ્ર ગાંધીનગર જિલ્લા મહેસૂલી વિસ્તારમાં બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

Admin

શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા વધે છે, જાણો તેની પાછળના સૌથી મોટા કારણો અને ઉપાયો

Admin

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે વિધર્મી યુવક દ્વારા એક હિન્દુ યુવતીને ભગાડી લઈ જતાં આજે બીજા દિવસે પણ ગરબાડા સહિત ગાંગરડી તેમજ આસપાસના વિસ્તારો સજ્જડ બંધ રહ્યાં હતાં ત્યારે બીજા દિવસે બનાવ

Karnavati 24 News