Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભચાઉમાં શહેરનો ૩૭૪મો સ્થાપના દિવસ ભચાઉ નગરપાલિકા દ્વારા ઉજવવામાં આવ્યો

૨૦૦૧ ના ભૂકંપમાં કચ્છનું કેન્દ્રબિંદુ ગણાતું ભચાઉ શહેરનો ૩૭૪ મો સ્થાપના દિન ઉજવવામાં આવ્યો હતો. જેમાં મોટા મોટા મહાનુભાવો હાજર રહ્યા હતા. ભૂકંપમાં તહસ નહસ થયેલા ભચાઉના ૩૭૪ મા સ્થાપના દિનની ઉજવણી શહેરના સ્થાપકની પ્રતિમાના પૂજન – અર્ચન , હારારોપણ સાથે કરાઇ હતી . ભચાઉ નગર પાલિકા દ્વારા ભચાઉ શહેરના ૩૭૪ મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે શહેરના સ્થાપક રામસંગજી જાડેજાની પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ભચાઉ પાલિકા પૂર્વ પ્રમુખ ઉર્મિલાબેન પટેલની ઉપસ્થિતિમાં ઉપપ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ૨૦૧૫ માં ઠરાવ કરી મહા સુદ નોમના દિવસે ભચાઉનો સ્થાપના દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. તા.૧૦/૨ , ગુરુવારે ભચાઉ નગર પાલિકાના પ્રમુખ કલાવતીબેન ઉમિયાશંકર જોશીના હસ્તે ભચાઉનું તોરણ બાંધનારા રામસંગજી જાડેજાની પ્રતિમાનું પૂજન અર્ચન કરી હારારોપણ કરાયું હતું . જેમાં શહેરના અગ્રણીઓ જનકસિંહ જાડેજા , અરજણ રબારી , ભરત કાવતરા , પાલિકાના કીર્તિસિંહ જાડેજા , એસ.ડી.ઝાલા , વિકાસ રાજગોર , ઉમિયાશંકર જોષી , વેપારી મંડળના હર્ષદભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

संबंधित पोस्ट

સુરતના સરથાણામાં નિર્દયતાથી પત્ની-પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર સ્મિત જીયાણીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

Gujarat Desk

ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્ત્વનો ચુકાદો આપ્યો 

Gujarat Desk

હરિયાણા રાજ્ય સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે પ્રાકૃતિક ખેતી સંમેલન યોજાયું

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

Gujarat Desk

ગાંધીનગરના પેથાપુરમાં 2002 માં થયેલ ડબલ મર્ડરના વોંટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

Gujarat Desk

રાજકોટ શહેર ના વોર્ડ નંબર 4 માં પેવિંગ બ્લોક નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

Karnavati 24 News
Translate »