Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભચાઉમાં શહેરનો ૩૭૪મો સ્થાપના દિવસ ભચાઉ નગરપાલિકા દ્વારા ઉજવવામાં આવ્યો

૨૦૦૧ ના ભૂકંપમાં કચ્છનું કેન્દ્રબિંદુ ગણાતું ભચાઉ શહેરનો ૩૭૪ મો સ્થાપના દિન ઉજવવામાં આવ્યો હતો. જેમાં મોટા મોટા મહાનુભાવો હાજર રહ્યા હતા. ભૂકંપમાં તહસ નહસ થયેલા ભચાઉના ૩૭૪ મા સ્થાપના દિનની ઉજવણી શહેરના સ્થાપકની પ્રતિમાના પૂજન – અર્ચન , હારારોપણ સાથે કરાઇ હતી . ભચાઉ નગર પાલિકા દ્વારા ભચાઉ શહેરના ૩૭૪ મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે શહેરના સ્થાપક રામસંગજી જાડેજાની પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ભચાઉ પાલિકા પૂર્વ પ્રમુખ ઉર્મિલાબેન પટેલની ઉપસ્થિતિમાં ઉપપ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ૨૦૧૫ માં ઠરાવ કરી મહા સુદ નોમના દિવસે ભચાઉનો સ્થાપના દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. તા.૧૦/૨ , ગુરુવારે ભચાઉ નગર પાલિકાના પ્રમુખ કલાવતીબેન ઉમિયાશંકર જોશીના હસ્તે ભચાઉનું તોરણ બાંધનારા રામસંગજી જાડેજાની પ્રતિમાનું પૂજન અર્ચન કરી હારારોપણ કરાયું હતું . જેમાં શહેરના અગ્રણીઓ જનકસિંહ જાડેજા , અરજણ રબારી , ભરત કાવતરા , પાલિકાના કીર્તિસિંહ જાડેજા , એસ.ડી.ઝાલા , વિકાસ રાજગોર , ઉમિયાશંકર જોષી , વેપારી મંડળના હર્ષદભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

संबंधित पोस्ट

પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ધંધુકા તાલુકામાં પાણીલક્ષી વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરાયું

Gujarat Desk

ગારીયાધાર ના ધારાસભ્ય સાથે ભાજપ સંગઠનને ગારીયાધાર ના વિવિધ વિસ્તારમાં બાઇકરેલી યોજી

Admin

વડોદરા હિટ એન્ડ રન કેસ: વડોદરા પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજુ કરીને વધુ બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા

Gujarat Desk

અમદાવાદમાં ઉતરાયણ ના પર્વ પેહલા હવા માં ઊડતી દોરી થી ગળા કપાવા ની ઘટનાં જણાય આવી

Gujarat Desk

છેલ્લા ચાર વર્ષમાં ગેરી દ્વારા ૬.૧૪ લાખથી વધુ નમૂનાઓનું કરાયું સફળ પરીક્ષણ: જળ સંપત્તિ  અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા

Gujarat Desk

અમદાવાદ શહેરમાંમહિલા પોલીસ જ અસુરક્ષિત, લુખ્ખાઓએ SHE ટીમને આંતરી, 4ની ધરપકડ કરવામાં આવી

Gujarat Desk
Translate »