Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

સુરત: યોગી આદિત્યનાથને ફરી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવા માટે ઓલપાડમાં મહાયજ્ઞનું કરાયું આયોજન.!

ઉત્તર પ્રદેશમાં હાલ ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં ફરી યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બને તે માટે સુરતમાં રાષ્ટ્રીય કિસાન દલ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા વિજય પ્રાપ્તિ માટે મહા યજ્ઞનું આયોજન કરાયુ હતું જેમાં અનેક મહાનુભાવો જોડાયા હતાં. રાષ્ટ્રીય કિસાન દલ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા જણાવાયુ હતું કે ઉત્તર પ્રદેશમાં ફરી મુખ્યમંત્રી તરીકે યોગી આદીત્યનાથ જંગી બહુમતીથીથી ચુંટાઈ આવે અને ઉત્તર પ્રદેશના વિકાસ સાથે ઉત્તર પ્રદેશને સમૃદ્ધિ તરફ લઈ જાય તે માટે શનિદેવની અસીમ કૃપાથી મંગળવારના રોજ યોગી આદિત્યનાથના વિજય પ્રાપ્તિ માટે હોમાત્મક લઘુરૂદ્ર અને દુર્ગાયજ્ઞનું આોજન કરાયુ હતું. ઓલપાડના કરમલા રોડ પર આવેલ ઈસનપોરમાં શનિવેદ ગો શાળા ખાતે રાષ્ટ્રીય કિસાન દલ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા મહા યજ્ઞનું આયોજન કરાયુ હતું. જેમાં મહંત અને પંડિતો દ્વારા આ મહા યજ્ઞ કરાયુ હતું અને હવનમાં યોગીજીના ભવ્ય વિજય પ્રાપ્તિ માટે સંકલ્પ અને મંત્રોચ્ચાર ની સાથે સાથે આહુતી નાંખવામાં આવ્યુ હતું. હવન યજ્ઞને વૈજ્ઞાનિક અને અધ્યાત્મિક તરીકે શ્રેષ્ઠ મનાઈ છે.

संबंधित पोस्ट

ગુજરાત પોલીસે છેલ્લા અઢી વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં જઈને ૩૦થી વધુ દરોડા પાડી ડ્રગ્સના મોટા જથ્થા પકડ્યા છે: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

ગીર સોમનાથમાં દીપડાએ હુમલો કરતા 5 વર્ષની બાળકીનું મોત

Gujarat Desk

દિવાળી સ્પેશિયલ : દેશના તમામ મંદિરોથી અલગ છે મેવાડનું ઐતિહાસિક મહાલક્ષ્મી મંદિર, શું છે મૂર્તિની વિશેષતા

Admin

ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગત કરતા જવાહરભાઈ ચાવડા

Karnavati 24 News

આગામી તા. 10 ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ

ગુજરાત ઈલેક્શન 2022 : વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારના મેદાનમાં ઉતરશે ‘ગાંધી’ પરિવાર

Karnavati 24 News
Translate »