Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

કચ્છના ગૌરવ આદિત્યરાજસિંહ જાડેજા ની રણજી ટ્રોફી માટે પસંદગી થઇ

માંડવી તાલુકાના નાની ખાખર ગામના ૨૧ વર્ષીય યુવાન આદિત્યરાજસિંહ જાડેજાની રણજી ટ્રોફી માટે પસંદગી થતા કચ્છના લોકો અને રમતવીરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. આર. ડી.વરસાણી ખાતે અન્ડર-૧૬ માટે કચ્છ વતી ટીમના ખેલાડીઓની પસંદગી થઈ રહી હતી ત્યારે જ આદિત્યરાજને કચ્છ વતી મેચ રમવા જણાવાયું હતું. પરિવારથી દૂર રહીને આદિત્યએ તન, મન થી ગોંડલ ખાતે ક્રિકેટની પ્રેક્ટિસ કરતા ફળ પેટે રણજી ટ્રોફીમાં પસંદગી મેળવી હતી. ૧૬ લોકોની ટીમમાં તેને ૮ ક્રમે સ્થાન અપાયું છે. તે હવે બેસ્ટ બોલર તરીકે આગામી મેચોમાં પ્રતિનિધિત્વ કરીને કચ્છનું ગૌરવ વધારશે. પુરા ત્રણ દાયકા પછી રણજી ટ્રોફીમાં કચ્છના ત્રીજા ખેલાડીની પસંદગી થઈ છે. અગાઉ ગાંધીધામના રવીન્દ્રસિંહ જાડેજા અને ભુજના ચંદ્રકાન્ત શાહની રણજી ટ્રોફીમાં પસંદગી થઈ હતી હવે ખાખરના આદિત્યરાજસિંહ જાડેજાની પસંદગી થયા બાદ તેને જવાબદારી મળી છે જે ખરેખર કચ્છ માટે ગૌરવની વાત છે. કચ્છનું ગૌરવ આદિત્યરાજસિંહ થી કચ્છને તેમજ સમાજને ખૂબ આશા છે કે તેઓ તેમનું તથા જિલ્લાનું અને પુરા દેશનું નામ રોશન કરશે.

संबंधित पोस्ट

રવિ બિશ્નોઈ ક્રિકેટ માટે પિતા વિરુદ્ધ ગયો, અભ્યાસ છોડ્યો, સતત રિજેક્ટ બાદ ટીમ ઈન્ડિયામાં મળી તક

Karnavati 24 News

ગૌતમ ગંભીર ચાર વર્ષ પછી ક્રિકેટના મેદાન પર કરશે વાપસી, આ લીગમાં ભાગ લેશે

Karnavati 24 News

IND vs AUS 2022: ગ્લેન મેક્સવેલના રન આઉટ પર થયો હતો વિવાદ, કાર્તિકે કરી હતી ભૂલ; જાણો શું કહે છે નિયમ

કોચ રમેશ પવાર સાથેના ઝઘડા પર મિતાલી રાજનું નિવેદન, કહ્યું- બધાને વાર્તાની માત્ર એક બાજુ ખબર છે

Karnavati 24 News

Shane Watson: શેન વોટસને ક્રિકેટમાં 5 શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરી, વિરાટ નંબર વન

Karnavati 24 News

સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો હતો પરંતુ નુકસાન અને દંડનો સામનો કરવો પડ્યો હતો

Karnavati 24 News