Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

કચ્છના ગૌરવ આદિત્યરાજસિંહ જાડેજા ની રણજી ટ્રોફી માટે પસંદગી થઇ

માંડવી તાલુકાના નાની ખાખર ગામના ૨૧ વર્ષીય યુવાન આદિત્યરાજસિંહ જાડેજાની રણજી ટ્રોફી માટે પસંદગી થતા કચ્છના લોકો અને રમતવીરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. આર. ડી.વરસાણી ખાતે અન્ડર-૧૬ માટે કચ્છ વતી ટીમના ખેલાડીઓની પસંદગી થઈ રહી હતી ત્યારે જ આદિત્યરાજને કચ્છ વતી મેચ રમવા જણાવાયું હતું. પરિવારથી દૂર રહીને આદિત્યએ તન, મન થી ગોંડલ ખાતે ક્રિકેટની પ્રેક્ટિસ કરતા ફળ પેટે રણજી ટ્રોફીમાં પસંદગી મેળવી હતી. ૧૬ લોકોની ટીમમાં તેને ૮ ક્રમે સ્થાન અપાયું છે. તે હવે બેસ્ટ બોલર તરીકે આગામી મેચોમાં પ્રતિનિધિત્વ કરીને કચ્છનું ગૌરવ વધારશે. પુરા ત્રણ દાયકા પછી રણજી ટ્રોફીમાં કચ્છના ત્રીજા ખેલાડીની પસંદગી થઈ છે. અગાઉ ગાંધીધામના રવીન્દ્રસિંહ જાડેજા અને ભુજના ચંદ્રકાન્ત શાહની રણજી ટ્રોફીમાં પસંદગી થઈ હતી હવે ખાખરના આદિત્યરાજસિંહ જાડેજાની પસંદગી થયા બાદ તેને જવાબદારી મળી છે જે ખરેખર કચ્છ માટે ગૌરવની વાત છે. કચ્છનું ગૌરવ આદિત્યરાજસિંહ થી કચ્છને તેમજ સમાજને ખૂબ આશા છે કે તેઓ તેમનું તથા જિલ્લાનું અને પુરા દેશનું નામ રોશન કરશે.

संबंधित पोस्ट

મહિલા વર્લ્ડ કપ: હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાએ વર્લ્ડ કપમાં સદીનો રેકોર્ડ બનાવ્યો

Karnavati 24 News

केएल राहुल को उप-कप्तानी से हटाने पर हरभजन की तीखी प्रतिक्रिया – ‘दुनिया के शीर्ष बल्लेबाजों में से…’

Admin

फीफा फुटबॉल विश्व कप का इतिहास, चलो पता करते हैं।

Admin

T20 વર્લ્ડ કપ: 10 એવી બાબતો જે સાબિત કરે છે કે, ટીમ ઇન્ડિયા માટે T20 વર્લ્ડ કપ જીતવો અસંભવ જ હતો

Karnavati 24 News

India Vs England: વર્લ્ડકપ સેમિફાઇનલમાં બે વખત ટકરાયા છે ભારત અને ઇગ્લેન્ડ, જાણો શુ રહ્યા હતા પરિણામો

Admin

મિતાલી રાજે વર્લ્ડ કપથી પહેલા ભારતીય ટીમના યુવા ખેલાડીને લઈને આપી મોટી પ્રતિક્રિયા

Karnavati 24 News