Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

કચ્છના ગૌરવ આદિત્યરાજસિંહ જાડેજા ની રણજી ટ્રોફી માટે પસંદગી થઇ

માંડવી તાલુકાના નાની ખાખર ગામના ૨૧ વર્ષીય યુવાન આદિત્યરાજસિંહ જાડેજાની રણજી ટ્રોફી માટે પસંદગી થતા કચ્છના લોકો અને રમતવીરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. આર. ડી.વરસાણી ખાતે અન્ડર-૧૬ માટે કચ્છ વતી ટીમના ખેલાડીઓની પસંદગી થઈ રહી હતી ત્યારે જ આદિત્યરાજને કચ્છ વતી મેચ રમવા જણાવાયું હતું. પરિવારથી દૂર રહીને આદિત્યએ તન, મન થી ગોંડલ ખાતે ક્રિકેટની પ્રેક્ટિસ કરતા ફળ પેટે રણજી ટ્રોફીમાં પસંદગી મેળવી હતી. ૧૬ લોકોની ટીમમાં તેને ૮ ક્રમે સ્થાન અપાયું છે. તે હવે બેસ્ટ બોલર તરીકે આગામી મેચોમાં પ્રતિનિધિત્વ કરીને કચ્છનું ગૌરવ વધારશે. પુરા ત્રણ દાયકા પછી રણજી ટ્રોફીમાં કચ્છના ત્રીજા ખેલાડીની પસંદગી થઈ છે. અગાઉ ગાંધીધામના રવીન્દ્રસિંહ જાડેજા અને ભુજના ચંદ્રકાન્ત શાહની રણજી ટ્રોફીમાં પસંદગી થઈ હતી હવે ખાખરના આદિત્યરાજસિંહ જાડેજાની પસંદગી થયા બાદ તેને જવાબદારી મળી છે જે ખરેખર કચ્છ માટે ગૌરવની વાત છે. કચ્છનું ગૌરવ આદિત્યરાજસિંહ થી કચ્છને તેમજ સમાજને ખૂબ આશા છે કે તેઓ તેમનું તથા જિલ્લાનું અને પુરા દેશનું નામ રોશન કરશે.

संबंधित पोस्ट

એશિયા કપમાં બુમરાહ બહાર તો મોહમ્મદ શમીને કેમ ના મળી તક?

Karnavati 24 News

આંસુઓ સાથે રોજર ફેડરરની ઇમોશનલ વિદાય, રાફેલ નડાલ અને જોકોવિચ પણ ભાવુક થયા

શ્રેયસ અય્યર-સંજૂ સેમસન સહિતના આ 5 સ્ટાર ખેલાડી, 2023 વર્લ્ડકપ માટે થઇ રહ્યા છે તૈયાર

Admin

હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, 23 વર્ષની કારકિર્દીને અલવિદા કહયુ

Karnavati 24 News

IND Vs ENG: રોહિત શર્મા અને શિખર ધવને બનાવ્યો રેકોર્ડ, હવે સચિન- ગાંગુલીના રેકોર્ડ પર

Karnavati 24 News

टीम इंडिया को लेकर बड़ा अपडेट, पहले वनडे में रोहित नहीं होंगे कप्तान, इस खिलाड़ी को मिलेगा मौका

Karnavati 24 News
Translate »