Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

કચ્છના ગૌરવ આદિત્યરાજસિંહ જાડેજા ની રણજી ટ્રોફી માટે પસંદગી થઇ

માંડવી તાલુકાના નાની ખાખર ગામના ૨૧ વર્ષીય યુવાન આદિત્યરાજસિંહ જાડેજાની રણજી ટ્રોફી માટે પસંદગી થતા કચ્છના લોકો અને રમતવીરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. આર. ડી.વરસાણી ખાતે અન્ડર-૧૬ માટે કચ્છ વતી ટીમના ખેલાડીઓની પસંદગી થઈ રહી હતી ત્યારે જ આદિત્યરાજને કચ્છ વતી મેચ રમવા જણાવાયું હતું. પરિવારથી દૂર રહીને આદિત્યએ તન, મન થી ગોંડલ ખાતે ક્રિકેટની પ્રેક્ટિસ કરતા ફળ પેટે રણજી ટ્રોફીમાં પસંદગી મેળવી હતી. ૧૬ લોકોની ટીમમાં તેને ૮ ક્રમે સ્થાન અપાયું છે. તે હવે બેસ્ટ બોલર તરીકે આગામી મેચોમાં પ્રતિનિધિત્વ કરીને કચ્છનું ગૌરવ વધારશે. પુરા ત્રણ દાયકા પછી રણજી ટ્રોફીમાં કચ્છના ત્રીજા ખેલાડીની પસંદગી થઈ છે. અગાઉ ગાંધીધામના રવીન્દ્રસિંહ જાડેજા અને ભુજના ચંદ્રકાન્ત શાહની રણજી ટ્રોફીમાં પસંદગી થઈ હતી હવે ખાખરના આદિત્યરાજસિંહ જાડેજાની પસંદગી થયા બાદ તેને જવાબદારી મળી છે જે ખરેખર કચ્છ માટે ગૌરવની વાત છે. કચ્છનું ગૌરવ આદિત્યરાજસિંહ થી કચ્છને તેમજ સમાજને ખૂબ આશા છે કે તેઓ તેમનું તથા જિલ્લાનું અને પુરા દેશનું નામ રોશન કરશે.

संबंधित पोस्ट

Women Cricket Team: પૂર્વ કેપ્ટને વિશ્વકપ પહેલા ઓપનર શેફાલી વર્માને લઇ કહ્યુ, ટીમમાં સ્થાન બચાવવુ હશે તો રન બનાવવા પડશે

Karnavati 24 News

શરીરનો દુઃખાવો, ઉલટી થવી, પગમાં સોજા આવવા જેવી થઈ હતી તકલીફ

Admin

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

IPL 2022 તમામ ટીમોએ જાહેર કરી દીધા કેપ્ટન, આ બે ટીમોએ વિદેશી ખેલાડીને બનાવ્યા કેપ્ટન

Karnavati 24 News

ડી વિલિયર્સ આવતા વર્ષે IPLમાં જોડાશેઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટનનું સમર્થન, કહ્યું- હું ચોક્કસથી RCBનો ભાગ બનીશ,

Karnavati 24 News

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin
Translate »