Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે

અને જ્યાં સુધી સત્તાધીશો ઉપર પ્રેશર ન આવે ત્યાં સુધી યોગ્ય કાર્યવાહી પણ કરતા નથી. **** યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ-પાંચ વર્ષથી કાયમી પ્રોફેસરોની ભરતી કરી નથી, કાયમી પ્રોફેસરો વિના વિદ્યાર્થીઓને કોણ ભણાવશે, કેવું ભણાવશે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું તેની રતિભાર પણ ચિંતા પાંચ વર્ષ દરમિયાન કુલપતિએ કરી નથી અને બુધવારે વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ કુલપતિની ચેમ્બરમાં અઢી કલાક સુધી ધમાલ મચાવી, રામધૂન બોલાવી, સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા સત્તાધીશો દબાણમાં આવતા તાબડતોબ ફાઈલો મગાવી 48 કલાકમાં યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવા લેખિત બાંહેધરી આપવી પડી હતી. એકબાજુ પાંચ-પાંચ વર્ષથી ભરતી ન કરી, બીજી બાજુ દબાણ આવતા માત્ર 10 જ મિનિટમાં નિર્ણય લીધો કે 48 કલાકમાં જાહેરાત પ્રસિદ્ધ કરવી. કુલપતિ અને રજિસ્ટ્રાર એક તબક્કે કાયમી ભરતી માટેની લેખિત બાંહેધરી આપવા ઇનકાર કરી દીધો હતો, પરંતુ ઉપકુલપતિએ પોતાના જોખમે, પોતાની જવાબદારીએ 48 કલાકમાં ભરતીની જાહેરાત કરવા લેખિતમાં બાંહેધરી આપી હતી.

 

संबंधित पोस्ट

સર્વેના વિવાદ વચ્ચે યોગી સરકાર મદરેસાના આ વિદ્યાર્થીઓનું સન્માન કરશે, પુસ્તકોના ખાતામાં પૈસા પણ આપશે

 પાટણમાં જિલ્લામાં રાયડાના ફુલની પીળી ચાદર પથરાઈ, ભાવ વધતા રેકોર્ડબ્રેક 38 હજાર હેક્ટરમાં વાવેતર

Karnavati 24 News

અચાનક દૈવી શક્તિ મળી ગઈ છે, મારા કારણે લાલુની પાછળ પડ્યું છે ED: નીતીશ કુમાર

Karnavati 24 News

માંગરોળ તાલુકાના માનખેત્રા થી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો હતો

Admin

ગારીયાધાર ના ધારાસભ્ય સાથે ભાજપ સંગઠનને ગારીયાધાર ના વિવિધ વિસ્તારમાં બાઇકરેલી યોજી

Admin

ભાવનગર મહાનગરપાલિકાના રૂ.૪૭૫ લાખના ખર્ચે પાણી પુરવઠાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરતાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા

Karnavati 24 News