Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે

અને જ્યાં સુધી સત્તાધીશો ઉપર પ્રેશર ન આવે ત્યાં સુધી યોગ્ય કાર્યવાહી પણ કરતા નથી. **** યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ-પાંચ વર્ષથી કાયમી પ્રોફેસરોની ભરતી કરી નથી, કાયમી પ્રોફેસરો વિના વિદ્યાર્થીઓને કોણ ભણાવશે, કેવું ભણાવશે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું તેની રતિભાર પણ ચિંતા પાંચ વર્ષ દરમિયાન કુલપતિએ કરી નથી અને બુધવારે વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ કુલપતિની ચેમ્બરમાં અઢી કલાક સુધી ધમાલ મચાવી, રામધૂન બોલાવી, સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા સત્તાધીશો દબાણમાં આવતા તાબડતોબ ફાઈલો મગાવી 48 કલાકમાં યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવા લેખિત બાંહેધરી આપવી પડી હતી. એકબાજુ પાંચ-પાંચ વર્ષથી ભરતી ન કરી, બીજી બાજુ દબાણ આવતા માત્ર 10 જ મિનિટમાં નિર્ણય લીધો કે 48 કલાકમાં જાહેરાત પ્રસિદ્ધ કરવી. કુલપતિ અને રજિસ્ટ્રાર એક તબક્કે કાયમી ભરતી માટેની લેખિત બાંહેધરી આપવા ઇનકાર કરી દીધો હતો, પરંતુ ઉપકુલપતિએ પોતાના જોખમે, પોતાની જવાબદારીએ 48 કલાકમાં ભરતીની જાહેરાત કરવા લેખિતમાં બાંહેધરી આપી હતી.

 

संबंधित पोस्ट

ગોરખનાથ મંદિરમાં યોગીએ 600થી વધુ ફરિયાદો સાંભળીઃ BSF જવાન બોલ્યા- મારો દીકરો મારી હત્યા કરીને સરકારી નોકરી મેળવવા માંગે છે

Karnavati 24 News

વડોદરામાં વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં વિદેશી દારૂની બોટલ લઈને આવતા હોબાળો થયો

Gujarat Desk

જામજોધપુરમાં પતંગ લૂંટતા તરુણનો વીજ શૉક લાગતાં મૃત્યુ થયું

Gujarat Desk

કાળને કોણ રોકી શકે ? ઓલપાડ ટેક્સટાઇલ યુનિટમાં કામ કરતો યુવક પરત ફરતો અને કન્ટેનરચાલકે અડફેટે લેતા મોતને ભેટ્યો

Karnavati 24 News

વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-૨ અંતર્ગત રાજ્યની સરહદોના ૭૯ એન્ટ્રી એક્ઝિટ સ્થળોએ ૪૧૧ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

કોંગ્રેસ નેતા અંબરીશ ડેરના હર્ષદ રીબડીયા પર આકરા પ્રહારો, આપી આ પ્રતિક્રીયા

Translate »