Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ખેડા જિલ્લામાં જાન્યુઆરીના પ્રથમ 10 દિવસમાં 637 કેસ નોંધાયા

ખેડા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર સક્રિય થઈ હોય તેમ દરરોજના 63 કેસની સરેરાશ સાથે 10 દિવસમાં 637 પોઝિટિવ કેસ તંત્રના ચોપડે નોંઘાયા છે . આ કેસોમાં સૌથી વધુ કેસ નડિયાદ તાલુકામાં 516 નોંધાયા છે . જ્યારે અન્ય 9 તાલુકાઓમાં મળીને ફક્ત 124 કેસ થવા જાય છે . તંત્ર દ્વારા કોરોનાને કાબૂમાં લેવા અથાગ પ્રયાસો થઈ રહ્યા છે , પરંતુ ડિસેમ્બરના અંત ભાગમાં થી શરૂ થયેલ પોઝિટિવ દર્દીઓનો આંક ઘટવાનું નામ લઈ રહ્યો નથી . જોકે સારી બાબત એ છેકે જેટલા પોઝિટિવ દર્દી આવી રહ્યા છે , તેમાંથી 95 ટકા દર્દીઓ હોમ આઈસોલેશનમાં જ સારવાર લઈ સાજા થઈ રહ્યા છે . જિલ્લામાં પ્રથમ 10 દિવસમાં આવેલા કોરોના પોઝિટિવ કેસની વાત કરીયે તો નડિયાદ શહેરમાં 350 અને ગ્રામ્યમાં 166 કેસ નોંધાયા છે . જેના કારણે નિડયાદ તાલુકો કોરોના હોટસ્પોટ બન્યો છે . આજ કારણથી રાજ્ય સરકારે શહેરમાં રાત્રી કરફ્યુ પણ લગાવી દીધો છે . નડિયાદ બાદ સમગ્ર જિલ્લામાં સૌથી વધુ કેસ ઠાસરામાં 28 જ્યારે સૌથી ઓછા કેસ કપડવંજ , કઠલાલ , મહુધા અને વસોમાં ફક્ત 4-4 કેસ નોંધાયા છે . આમ નડિયાદ તાલુકાના કેસ સિવાય અન્ય 9 તાલુકામાં 124 કેસ નોંધાયા છે . 10 જાન્યુઆરી સુધી પોઝિટિવ 637 દર્દીઓ પૈકી 316 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે , જે પૈકી 304 દર્દીઓ તો હોમ આઈસોલેશનમાં જ સારવાર લઈ રહ્યા છે . જ્યારે 12 દર્દીઓ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે . આ સિવાય ખાનગી હોસ્પિટલ ના કોરોના બેડ સદંતર ખાલી છે . આમ એક તરફ કોરોના ઉછાળો મારી રહ્યો છે , જ્યારે બીજી તરફ દર્દીઓ ઘરે જ સારવાર લઈ સાજા થઈ રહ્યા છે . આ 10 દિવસમાં 637 કેસ પૈકી 368 દર્દીઓ ને સારૂ થઈ જતા ડિસ્ચાર્જ આપી દેવાયો હોય તેની ગંભીરતા દેખાઈ રહી નથી .

संबंधित पोस्ट

 આણંદના 13 કેન્દ્ર પર GPSC ની પરીક્ષામાં 46.22 % છાત્રો હાજર

Karnavati 24 News

ઑક્સફેમ ઇન્ડિયાનો‘ઇન્ડિયા ઇનઇક્વિલિટી રિપોર્ટ મુજબ ડિજિટલ વિભાજનને કારણે મહિલાઓ, બેરોજગાર, ગ્રામજનો લેટેસ્ટ ટેક્નોલોજીથી મર્યાદિત રહી ગયાં

Admin

રાધનપુર તાલુકાના મસાલી ગામ ખાતે વય નિવૃત શિક્ષક માદરે વતન આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Admin

પાટણમાં પંચોલી સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ પ્રસંગે ફૂલોની આગી કરાઈ

Karnavati 24 News

રાજુલા જાફરાબાદ ખાંભા મત વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તરફથી રાજુલા જાફરાબાદ ખાંભા ત્રણેય નાં ક્ષય (ટીબી) નાં દર્દીઓ ને ન્યુટ્રિશન કીટ વિતરણ કરવામાં આવી હતી

Karnavati 24 News

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

Admin