સાંતલપુર તાલુકાના છેવાડે આવેલા રાણીસર ગામમાં છેલ્લા 15 દિવસથી લોકોને પીવાના પાણીના પૂરતા અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં પીવાના પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાંતલપુર તાલુકાના ગામડાઓમાં તાલુકાના રાણીસર ગામમાં 130 મકાનો આવેલા છે જેની વસ્તી અંદાજિત 500 થી વધુ છે. આ લોકોને સતત 15 દિવસથી પીવાનું પાણી મળતું નથી, જ્યારે ત્રણ દિવસથી પાણી બંધ છે. આ અંગે જરારભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું કે, 15 દિવસથી પાણીની સમસ્યા છે, જ્યારે છેલ્લા ત્રણ દિવસથી પાણી આવતું નથી. શિયાળામાં પાણી ઓછું હોય તો પણ પીવા માટે પૂરતું પાણી મળતું નથી જો શિયાળામાં આ વિસ્તારના લોકોને પીવાનું પાણી નહીં મળે તો ઉનાળામાં આ વિસ્તારના લોકોને શું મુશ્કેલી પડશે. સાંતલપુર તાલુકાના ગામડાઓમાં તાલુકાના રાણીસર ગામમાં 130 મકાનો આવેલા છે જેની વસ્તી અંદાજિત 500 થી વધુ છે. આ લોકોને સતત 15 દિવસથી પીવાનું પાણી મળતું નથી, જ્યારે ત્રણ દિવસથી પાણી બંધ છે. . . . . . . .