Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

હોન્ટેડ પ્લેસઃ અમદાવાદ સહિત ગુજરાતની આ જગ્યાઓ ભૂતોનો ત્રાસ છે.

અહીં અનેક જોવાલાયક સ્થળો હોવાથી અનેક લોકો અહીં ફરવા આવે છે, પરંતુ અહીં આવેલી એક મસ્જિદની આસપાસનો વિસ્તાર ભૂતિયા હોવાનું કહેવાય છે. સૂર્યાસ્ત બાદ અહીં કોઈ જવાનું હિંમત પણ નથી કરતું.
અમદાવાદ: દેશદુનિયામાં ફરવાલાયક અનેક સ્થળો આવેલા છે. એનું લિસ્ટ પણ લાંબુલચક છે. દરેક શહેર-ગામમાં ફરવાલાયક સ્થળો હોય છે. પરંતુ કેટલાક સ્થળો એવા પણ હોય છે, જેના નામ માત્રથી લોકો થરથર કાંપતા હોય છે. જે હોન્ટેડ પ્લેસ, ભૂતિયા સ્થળો તરીકે પ્રખ્યાત બન્યાં છે. આવા સ્થળોમાં ગુજરાતના પણ કેટલાક સ્થળો છે. ગુજરાતમાં પણ ભૂતિયા સ્થળો છે. જ્યાં જતા પહેલા લોકો સો વાર વિચારે છે. આજે જાણી લો આ નજોવાલાયક સ્થળો વિશે…

ગુજરાતના ભૂતિયા સ્થળોમાં સૌથી ટોપ પર નામ છે ડુમસ બીચ. સુરતનો ડુમસ બીચ એટલો ડરાવનો છે કે, સાંજ થતા જ આવેલા લોકો પરત ફરવા લાગે છે. અનેક લોકોએ અહીં કોઈના રડતા હોવાનો અવાજ સાંભળ્યો છે. આ બીચ પર પહેલા લોકોને દફનાવવામાં આવતા હતા. તેથી અતૃપ્ત આત્માઓ અહીં ફરતી હોવાનો અનેકોને ભાસ થયો છે. આ બીચ પરથી અનેક લોકો ગાયબ થયા હોવાના કિસ્સાઓ પણ ફેમસ છે.

વિસાવદર તાલુકામાં આવેલ સત્તાધારમાં આપા ગીગાનું મથક આવેલું છે. જ્યાં એક ભૂતવડલો આવેલો છે. આ વડલા વિશે પણ લોકોની માન્યતા ભૂતિયા જેવી છે. અહીં એક જય ભૂતબાપા આવેલા છે. તમને તેનું એક બોર્ડ પણ દેખાઈ આવશે. આરતી ચાલતી હોય એટલો સમય ભૂતવડલા વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે. કેમ કે માન્યતા પ્રમાણે ભૂતબાપા એ વખતે ત્યાં હાજર હોય છે. કેટલાક લોકોએ પોતે ભૂતબાપાને જોયા હોવાનો પણ દાવો કરે છે, પરંતુ એમાં તથ્ય છે કે નહીં એ વાત પરથી જ ખબર પડી જાય. પરંતુ આ સ્થળનું નામ માત્ર ભૂતિયા બાપા છે. બાકી તો લોકો અહીં બાધા રાખીને તેને પૂરી કરવા આવે છે.

ભૂતિયા સ્થળમાં અમદાવાદના સિગ્નેચર ફાર્મનું નામ પણ ફેમસ છે. મણિપુર પાસે આવેલ આ ફાર્મ ભૂતિયું છે. અહીં તમને ઠેકઠેકાણે વચ્ચેથી કપાયેલી હોય તેવી મૂર્તિઓ જોવા મળશે. કહેવાય છે કે, આ સ્થળે સામૂહિક હત્યાકાંડ થયો હતો. જેના બાદ આ સ્થળે એક-બે નહિ, પણ અનેક આત્માઓ ભટકતી હોવાનો ભાસ થાય છે.

રાજકોટમાં આવેલ અવધ પેલેસ પણ હોન્ટેડ પ્લેસ છે. કહેવાય છે કે, આ વિશાળ હવેલીમાં એક યુવતી પર કેટલાક પુરુષો દ્વારા સામૂહિક બળાત્કાર કરાયો હતો. બાદમાં તેને બાળી મૂકાઈ હતી. જેના બાદ યુવતીની આત્મા અહી ભટકતી હોવાનું કહેવાય. જોકે, આ પેલેસ હવે જર્જરિત થઈ ગયો છે. આ ઘટના બાદ ત્યાં કોઈ રહેતું નથી.

જુનાગઢના મધ્યભાગમાં આવેલ ઉપરકોટ ફોર્ટ બહુ જ ફેમસ છે. અહીં અનેક જોવાલાયક સ્થળો હોવાથી અનેક લોકો અહીં ફરવા આવે છે, પરંતુ અહીં આવેલી એક મસ્જિદની આસપાસનો વિસ્તાર ભૂતિયા હોવાનું કહેવાય છે. સૂર્યાસ્ત બાદ અહીં કોઈ જવાનું હિંમત પણ નથી કરતું.

संबंधित पोस्ट

જામનગરજિલ્લાના પોલીસ તંત્ર દ્વારા રાત્રી કર્ફ્યુ ની અમલવારી દરમિયાન ત્રણ બાઇક ચાલક અને રિક્ષાચાલક નશો કરેલી હાલતમાં પકડાયા

Karnavati 24 News

બેફીકરાઇથી માસ્ક પહેર્યા વગર ફરનારા હવે ચેતી જજો, વડોદરા પોલીસે ફરી શરૂ કર્યું આ કામ

Karnavati 24 News

કુતિયાણા નજીક સારણ નેસના પુલમાં બાળક ડૂબી જતાં મોત : વાડોત્રા નજીક બે યુવાનો તણાઈ : Ndrf ટીમ ની મદદ યુવાનોની હાલ શોધખોળ

Karnavati 24 News

પાટણના વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે પર્યટકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા શહેર ભાજપના પૂર્વ પ્રમુખે સાંસદને પત્ર લખ્યો

Karnavati 24 News

મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેકટોનું 2022માં સમયાંતરે થશે લોકાપર્ણ

Karnavati 24 News

રાજધાની એક્સપ્રેસ દિલ્હી સિવાય તમારા શહેરમાંથી કેમ ઉપડતી નથી, આ છે કારણ

Karnavati 24 News