Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

વર્ષ 2021ના ઢળતા સૂર્ય અને 2022ના ઉગતા સૂર્યનો મનમોહક નજારો

જામનગરમાં 2021નો અંતિમ સૂર્યાસ્ત નભમાં સમાઈ જવાના અને નવી આશા, અપેક્ષા અને આકાંક્ષાઓ સાથેના 2022ના વર્ષના સૂર્યોદયના મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. જામનગરના સાત રસ્તા સર્કલ અને રણમલ તળાવ ખાતે સૂર્યાસ્ત અને સૂર્યદયથી જાણે આકાશમાં ભાત ભાતની રંગોળી રચી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જીવનના ખટમીઠા સંભારણાઓ તેમજ નફા, નુકસાની, અમુક ઉપાડી અને સોનેરી યાદો સાથે 2021નું વર્ષ પસાર થઇ જતા તેના ઢળતા સૂર્યનો જામનગરના સાત રસ્તા સર્કલ અને રણમલ તળાવ ખાતે નયનરમ્ય નજારો સર્જાયો હતો.શહેરીજનોએ પણ વર્ષના આખ૨ી દિવસ અને અંતિમ સૂર્યાસ્તનાં દર્શન કર્યા હતા. આ ઉપરાંત નવા સપનાઓ અને આશાઓ સાથે નવા વર્ષ 2022ના થનગનાટ સાથે વધાવ્યો હતો. જે સૂર્ય ઉદયનો પણ જામનગરના સાત રસ્તા સર્કલ અને રણમલ તળાવ ખાતે અદભુત નજારો સર્જાયો હતો.’આભમા ઉડે અબીલ ગુલાલ રે… સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ’…કાવ્યના શબ્દોની માફક આકાશમાં જાણે નવા આગમનને વધાવવા રંગોળીઓ કરી નૂતન વર્ષના વધામણા કરવામાં આવ્યા હોય તેવા સુંદ૨ દ્રશ્યો સર્જાયા હતા.

संबंधित पोस्ट

પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલે છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk

સુરતની કામરેજ સુગર ફેક્ટરીમાં આગ,બગાસના સંગ્રહિત જથ્થામાં આગ લાગતા નાસભાગ,ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો.!

Karnavati 24 News

ગુજરાત ના ઇતિહાસમાં એક સાથે ૯ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય શહેરી વિકાસની આયોજનબદ્ધ ગતિની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

રાજયની કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક કૃષિ માટે વિવિધ સંશોધનો હાથ ધરી મહત્તમ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા રાજયપાલશ્રીનું આહવાન

Gujarat Desk

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર વધુ 2 આરોપીને કોર્ટમાં રજૂ કરાયાં; બન્ને આરોપીઓનાં 6 દિવસનાં રિમાન્ડ મંજૂર

Gujarat Desk

ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સુરત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર યોજાઈ

Admin
Translate »