Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

વર્ષ 2021ના ઢળતા સૂર્ય અને 2022ના ઉગતા સૂર્યનો મનમોહક નજારો

જામનગરમાં 2021નો અંતિમ સૂર્યાસ્ત નભમાં સમાઈ જવાના અને નવી આશા, અપેક્ષા અને આકાંક્ષાઓ સાથેના 2022ના વર્ષના સૂર્યોદયના મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. જામનગરના સાત રસ્તા સર્કલ અને રણમલ તળાવ ખાતે સૂર્યાસ્ત અને સૂર્યદયથી જાણે આકાશમાં ભાત ભાતની રંગોળી રચી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જીવનના ખટમીઠા સંભારણાઓ તેમજ નફા, નુકસાની, અમુક ઉપાડી અને સોનેરી યાદો સાથે 2021નું વર્ષ પસાર થઇ જતા તેના ઢળતા સૂર્યનો જામનગરના સાત રસ્તા સર્કલ અને રણમલ તળાવ ખાતે નયનરમ્ય નજારો સર્જાયો હતો.શહેરીજનોએ પણ વર્ષના આખ૨ી દિવસ અને અંતિમ સૂર્યાસ્તનાં દર્શન કર્યા હતા. આ ઉપરાંત નવા સપનાઓ અને આશાઓ સાથે નવા વર્ષ 2022ના થનગનાટ સાથે વધાવ્યો હતો. જે સૂર્ય ઉદયનો પણ જામનગરના સાત રસ્તા સર્કલ અને રણમલ તળાવ ખાતે અદભુત નજારો સર્જાયો હતો.’આભમા ઉડે અબીલ ગુલાલ રે… સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ’…કાવ્યના શબ્દોની માફક આકાશમાં જાણે નવા આગમનને વધાવવા રંગોળીઓ કરી નૂતન વર્ષના વધામણા કરવામાં આવ્યા હોય તેવા સુંદ૨ દ્રશ્યો સર્જાયા હતા.

संबंधित पोस्ट

CIFRI Kolkata में 1 पद पर निकली भर्ती। अधिक जानकारी के लिए नीचे क्लिक करें।

Karnavati 24 News

ખોડીયાર નગર રિવરફ્રન્ટ વિસ્તાર મા ભોજન નો કાર્યક્રમ

Karnavati 24 News

फरीदाबाद: सभी माताओं में गौ माता सबसे अधिक पूजनीय: स्वामी पुरुषोत्तमाचार्य

Admin

ભરૂચ:ઝાડેશ્વર વિસ્તારમાં મંદિર નજીક પાર્ક કરેલ કાર માં આગ લાગતા દોડધામ

Karnavati 24 News

ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરી શરૂ;CM પટેલની પાર્લામેન્ટ્રી બોર્ડમાં એન્ટ્રી

Karnavati 24 News

 વાઇબ્રન્ટ સમિટી 2022માં આડેધડ પાર્કિંગ ને ટ્રાફિક જામ રોકવા પોલીસ 16 ક્રેન ભાડે લાવશે, ટોઇંગવાન દોડાવાશે

Karnavati 24 News