Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

જમ્મુ: વેષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ, 12 લોકોના મોત, 20થી વધુ ઘાયલ

જમ્મુના માતા વેષ્ણોદેવી મંદિરમાં 31 ડિસેમ્બરની રાત્રે ભાગદોડની ઘટનામાં 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થવાના સમાચાર છે.

પોલીસ અનુસાર, ઘટના રાત્રે 2 વાગીને 45 મિનિટ પર બની હતી. આ ભાગદોડ ત્રિકુટા પહાડી પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી. અધિકારીઓ અનુસાર નવા વર્ષની શરૂઆતના પ્રસંગે શ્રદ્ધાળુઓની ભારે ભીડ માતાના દર્શન કરવા પહોચી હતી. દર વર્ષે ન્યૂ યરના પ્રસંગે શ્રદ્ધાળુઓની ભારે ભીડ માતા વેષ્ણોદેવીના દર્શન કરવા આવે છે.

ઘાયલોને માતા વેષ્ણોદેવી નારાયણ સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર 2 પક્ષમાં ઝઘડા બાદ આ ઘટના બની હતી જેમાં અત્યાર સુધી 12 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

તપાસ માટે કમિટીની રચના

દૂર્ઘટનાની તપાસ માટે તંત્રએ કમિટી પણ બનાવી છે. રાજ્યના ગૃહ સચિવના નેતૃત્વમાં હાઇ લેવલ તપાસ કમિટી બનાવવામાં આવી છે, જે માતા વેષ્ણોદેવી ભવન દૂર્ઘટનાની તપાસ કરશે.

આ સિવાય માતા વેષ્ણોદેવી શ્રાઇન બોર્ડે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે:

વેષ્ણોદેવી-હેલ્પલાઇન નંબર: 01991-234804

વડાપ્રધાને દુખ વ્યક્ત કર્યુ

વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાંથી મૃતકોના પરિવાર માટે 2-2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.

જમ્મુ કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ પણ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. ઉપરાજ્યપાલે ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ અને ઘાયલોને 2 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.

संबंधित पोस्ट

સરકારી તંત્ર- નાગરિકો વચ્ચે આયોગે સેતુરૂપ કામ કરીને RTI અંગેના કેસોનો  ઝડપી ઉકેલ લાવી ગુજરાતને અગ્રીમ હરોળનુ રાજ્ય બનાવ્યું :- ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

કોલેજમાં જરૂરી તમામ ફેકલ્ટી, શિક્ષણ સુવિધાઓ ઉભી કરી સ્ટેટ ઓફ ધ આર્ટ કોલેજનું નિર્માણ થાય તે દિશામાં કામગીરી જરૂરી :- શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા

Gujarat Desk

ગુજરાતમાં પ્રસરી મધની મીઠાશ; મધમાખી પાલન બન્યો ખેડૂતોની સમૃદ્ધિનો મધુર માર્ગ

Gujarat Desk

વન્યજીવોની દેખરેખ અને સલામતી માટે અત્યાધુનિક સર્વેલન્સ અને સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત

Gujarat Desk

 જામનગરવાસીઓને થયો હિલ સ્ટેશનનો અહેસાસ, શહેર ધુમ્મસની આગોસમાં

Karnavati 24 News

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા, કેસૂડો કામણગારો

Gujarat Desk
Translate »