Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

જમ્મુ: વેષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ, 12 લોકોના મોત, 20થી વધુ ઘાયલ

જમ્મુના માતા વેષ્ણોદેવી મંદિરમાં 31 ડિસેમ્બરની રાત્રે ભાગદોડની ઘટનામાં 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થવાના સમાચાર છે.

પોલીસ અનુસાર, ઘટના રાત્રે 2 વાગીને 45 મિનિટ પર બની હતી. આ ભાગદોડ ત્રિકુટા પહાડી પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી. અધિકારીઓ અનુસાર નવા વર્ષની શરૂઆતના પ્રસંગે શ્રદ્ધાળુઓની ભારે ભીડ માતાના દર્શન કરવા પહોચી હતી. દર વર્ષે ન્યૂ યરના પ્રસંગે શ્રદ્ધાળુઓની ભારે ભીડ માતા વેષ્ણોદેવીના દર્શન કરવા આવે છે.

ઘાયલોને માતા વેષ્ણોદેવી નારાયણ સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર 2 પક્ષમાં ઝઘડા બાદ આ ઘટના બની હતી જેમાં અત્યાર સુધી 12 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

તપાસ માટે કમિટીની રચના

દૂર્ઘટનાની તપાસ માટે તંત્રએ કમિટી પણ બનાવી છે. રાજ્યના ગૃહ સચિવના નેતૃત્વમાં હાઇ લેવલ તપાસ કમિટી બનાવવામાં આવી છે, જે માતા વેષ્ણોદેવી ભવન દૂર્ઘટનાની તપાસ કરશે.

આ સિવાય માતા વેષ્ણોદેવી શ્રાઇન બોર્ડે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે:

વેષ્ણોદેવી-હેલ્પલાઇન નંબર: 01991-234804

વડાપ્રધાને દુખ વ્યક્ત કર્યુ

વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાંથી મૃતકોના પરિવાર માટે 2-2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.

જમ્મુ કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ પણ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. ઉપરાજ્યપાલે ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ અને ઘાયલોને 2 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.

संबंधित पोस्ट

અમરેલી માં રોજગાર ખાતા દ્વારા ૨૮ માર્ચના ઈ-ભરતીમેળા નું આયોજન કરાયું

Karnavati 24 News

અમદાવાદમાં કોંગ્રેસની સંકલ્પ પરીવર્તન પદયાત્રામાં ઓછી હાજરી વચ્ચે ફિક્કો પ્રતિસાદ, કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ ગાયબ

Karnavati 24 News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે

Karnavati 24 News

 ધિણોજથી સુણસર સુધી રોડ માટે માર્ગ અને મકાન વિભાગ તથા ONGCએ હાથ ખંખેર્યા

Karnavati 24 News

રાધનપુર તાલુકાના મસાલી ગામ ખાતે વય નિવૃત શિક્ષક માદરે વતન આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Admin

પાટણ જીલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે NOTA બટન બ ન્યું હારનું કારણ

Admin