11 માર્ચના રોજ કાશ્મીર ફાઈલ દેશભરમાં રીલીઝ થયા બાદ કાશ્મીરીઓને હક્ક અને ન્યાય અપાવવાનો મુદ્દો ઘણા ચર્ચામાં રહ્યાે છે. આ ફિલ્મ બાદ રાજકારણ પણ ઘણું ગરમાયું હતું. જુદા-જુદા રાજકીય પક્ષો અને નેતાઓના નિવેદનો આ ફિલ્મ મામલે સામે આવ્યા હતા.
ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ એ ખરા અર્થમાં ઘાટીના સાચા ઇતિહાસને બહાર લાવ્યો છે અને આ ફિલ્મ આપણને લાંબા સમય સુધી યાદ રહેશે. દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતેના પ્રાેગ્રામમાં કેન્દ્રીય મંત્રીએ આ નિવેદન આપ્યું હતું.
આ દરમિયાન આ ફિલ્મના મુખ્ય કલાકારો અને ડીરેકટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અનુપમ ખેર, નિર્દેશક વિવેક અગ્નિહોત્રી સહીતનાને સન્માન માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. નિતિન ગડકરીએ વધુમાં વાત કરતા કહ્યું કે,જો કોઈ દેશમાં 51 ટકાથી વધુ કટ્ટરપંથીઓ હોય તો તે દેશમાં લોકશાહી, સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા નહીં હોય. સહિષ્ણુતા આપણા દેશની વિશેષતા છે. રાષ્ટ્રવાદ આપણો આત્મા છે અને મને આનંદ છે કે કાશ્મીરનો વાસ્તવિક ઇતિહાસ ભારતમાં છે.
કાશ્મીર પંડિતોનો મુદ્દો છેલ્લા કેટલાય સમયથી દેશભરમાં ચર્ચાયેલો છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાશ્મીરી પંડિતોની મુલાકાત લેવામાં આવશે.
ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા 24મી એપ્રિલે કાશ્મીરની મુલાકાત લેવામાં આવશે. 370ની કલમ હટાવાયા બાદ વડાપ્રધાન પહેલીવાર કાશ્મીરની મુલાકાત માટે જશે. વડા પ્રધાન ત્યાંના પ્રતિનિધી મંડળ સાથે ચર્ચા કરશે અને તેમની સમસ્યા જાણવાનો પ્રત્યન કરશે. કાશ્મીરી પંડિતોને લગતી તમામ પ્રકારની માહિતી વડાપ્રધાન મેળવશે.