Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સાવરકુંડલામાંથી કપાસની ચોરી કરનાર ત્રણ આરોપી ઝડપાયા

સાવરકુંડલામાંથી કપાસની ચોરી કરનાર ત્રણ આરોપીઓને કપાસ, રોકડ રકમ સહિત કુલ 14,400 રૂપિયાના મુદ્દામાલ સાથે અમરેલી એલ.સી.બીએ ઝડપી પાડ્યા હતા. ત્રણેય આરોપીને ઝડપીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સાવરકુંડલા-અમરેલી રોડ ઉપર આવેલ ગુપ્ત ખોડીયાર મંદિર સામે, હરીબાગ નામની ગીરીશ ભાઇ હર્ષદરાય રાજ્યગુરૂની વાડી આવી હતી. 23 ઓક્ટોબરે કોઇ અજાણ્યા ઇસમોએ આ વાડીના મુખ્ય દરવાજે તથા મકાનની ઓસરીની ગ્રીલમાં મારેલ તાળા તોડી, વાડીમાં પ્રવેશ કરી, વાડીમાં રાખેલ 70 મણ કપાસ 98,000 રૂપિયાનો ચોરી કરીને લઇ ગયા હતા. આ અંગે શાંતિભાઇ માંજુસાએ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અમરેલી એલ.સી.બી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર આર.કે. કરમટા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન.મોરી તથા એલ.સી.બી ટીમને 16 ડિસેમ્બરના રોજ બાતમી મળી હતી કે ત્રણ ઇસમો સાવરકુંડલા, ભુવા રોડ ઉપર આવેલ ગેઇડ પાસે કપાસની ગાંસડીઓ સાથે શંકાસ્પદ હાલતમાં ઉભા છે. બાતમીના આધારે ત્રણ ઇસમોને પકડી પાડી, તેમની પાસેથી ઉપરોક્ત કપાસ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી કપાસની ગાંસડી નંગ-4, વજન 6 મણ કપાસ રીકવર કર્યો હતો.

संबंधित पोस्ट

સુરતમાં ૭ વર્ષથી લૂંટ-હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી સુરત પોલીસને ગોળ ગોળ ફેરવતો,આખરે ઝડપાયો.!

Karnavati 24 News

पंजाब पुलिस ने बीएसएफ के साथ संयुक्त अभियान में तरनतारन से तीन किलो हेरोइन और एक पिस्तौल की बरामद

Admin

અમરેલી તાલુકાના મોણપુર નજીકથી 22 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

Karnavati 24 News

અંકલેશ્વર માં ગરબા જોવા જઇ રહેલ પરિણીત મહિલા પર પતિ નો જ ચપ્પુથી હુમલો

પારડીમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે વિરોધપક્ષના નેતાએ આવેદનપત્ર આપી રજુઆત કરી

Karnavati 24 News

સંતાન નહીં થતાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ કરી હતી આત્મહત્યા : દોઢ મહિના બાદ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

Karnavati 24 News
Translate »