Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સંતાન નહીં થતાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ કરી હતી આત્મહત્યા : દોઢ મહિના બાદ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

બારડોલી : ઓલપાડ તાલુકાનાં સિવાણ ગામે આવેલી મુજાણી ફેબટેક્સ પ્રા.લી. નામની ફેક્ટરીમાં ગત 12મી જૂનના રોજ પરિણીતાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાના દોઢ મહિના બાદ ઓલપાડ પોલીસે પરિણીતાની માતાની ફરિયાદના આધારે પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના ફિરોજાબાદ જીલાના નૌસેહરા ગામે રહેતી કમલાદેવી થાનસિંગ કુશ્વાહના પાંચ સંતાનો પૈકી સૌથી નાની પુત્રી સાધના (ઉ.વર્ષ 23)ના લગ્ન ચાર વર્ષ અગાઉ હાથરસ જિલ્લાના સુમ્મેરપૂર ગામના રાજકુમાર ખ્યાલીરામ કુશ્વાહ સાથે થયા હતા. રાજકુમાર થોડા મહિના પહેલા જ સુરતના ઓલપાડ તાલુકાનાં સિવાણ ગામે આવેલી કાપડની ફેક્ટરીમાં કામ કરવા માટે આવ્યો હતો. થોડા દિવસ બાદ સાધના પણ તેની સાથે રહેવા આવી ગઈ હતી. બંને પતિપત્ની સિવાણની મુજાણી ફેબટેક્સ પ્રા.લી.માં ઉપલા માળે મજૂરોની ખોલીમાં રહેતા હતા. તેમજ સાધના પણ કાજુની ફેક્ટરીમાં કામે જતી હતી. દરમ્યાન ગત 12મી જૂનના રોજ સાંજે 6 વાગ્યે રાજકુમાર નોકરી પરથી પરત ઘરે આવ્યો ત્યારે રૂમ ન બાજુના રૂમની પતરાની દીવાલ પરથી જોતાં સાધના બારીના સળિયા સાથે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. રાજકુમારે દરવાજો તોડી અંદર પ્રવેશ કરતાં જોય તો સાધનાનું મોત થઈ ગયું હતું. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે જે તે સમયે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો હતો અને પોસ્ટમોર્ટમ બાદ મૃતક સાધનાના પિયરવાળાના કહેવાથી લાશ રાજકુમારને આપી હતી. તેની અંતિમક્રિયા વતનમાં કરવામાં આવી હતી. દરમ્યાન મૃતક સાધનાની માતાએ વતનથી સાયણ આવી શુક્રવારના રોજ સાધનાના પતિ રાજકુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. માતાએ આક્ષેપ કર્યો  હતો કે સાધનાને લગ્નના ચાર વર્ષ બાદ પણ સંતાન થતું ન હોય તેનો પતિ તેને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. વારંવારની ત્રાસથી કંટાળી જઇ સાધનાએ આ પગલું ભર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરતાં પોલીસે રાજકુમાર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

राजस्थान की किशोरी से अलवर में सामूहिक दुष्कर्म, 8 लोगों पर आरोप : पुलिस

Admin

શ્રદ્ધા હત્યા કેસ માટે દિલ્હીમાં બોલાવવામાં આવેલી મહાપંચાયતમાં હંગામો, મહિલાએ પુરુષને ચપ્પલથી માર્યો દે ધનાધન માર

Admin

રાજસ્થાનમાં શિક્ષકે મારી-મારીને તોડી દીધી વિદ્યાર્થીની કરોડરજ્જૂ, કરવામાં આવ્યા સસ્પેન્ડ

Admin

ખનીજ ચોરી પર નવનિયુક્ત પીઆઈની કાયર્વાહી , બ્રાહ્મણી નદીમાંથી ખનીજ ચોરી કરતા ૫ ડમ્પર ઝડપ્યા

Karnavati 24 News

 લાલપુરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા બાબતે એક રીક્ષા ચાલકે અન્ય પર હુમલો કરી માર માર્યો

Karnavati 24 News

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે ઘરના આંગણે લોક મારી રાખેલ ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચોરી કરી વાહન ચોર ટોળકી ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.