Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ કુલ ૬૭૩૮ કર્મયોગીઓએ મકાન પેશગીનો લાભ લીધો: નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ



(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર,

રાજ્યના નિયમિત નિમણૂક ધરાવતાં સરકારી કર્મચારીઓ માટેની મકાન પેશગી અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ રાજ્યના કુલ ૬૭૩૮ કર્મયોગીઓએ મકાન બાંધકામ પેશગીનો લાભ લીધો છે, જે અંતર્ગત હાલમાં કર્મચારીઓ દ્વારા સરકારને પરત ચૂકવણીની પ્રક્રિયા ચાલુ છે.

આ અંગે વધુ વિગત આપતાં નાણાં મંત્રીશ્રીએ જણાવ્યું કે નાણાં વિભાગના તા.૧૦ જાન્યુઆરી, ૨૦૨૨ના ઠરાવ મુજબ રહેણાંકના હેતુ માટે જમીનની ખરીદી સહિત નવું મકાન કે ફલેટના બાંધકામ માટે નિયમિત નિમણૂક ધરાવતાં સરકારી કર્મચારીઓને ૩૪ માસિક મૂળ પગાર અથવા મકાનની અપેક્ષિત કિંમત અથવા રૂ. ૨૫ લાખ, એ ત્રણમાંથી જે રકમ ઓછી હોય, તે મકાન પેશગી તરીકે મળવાપાત્ર રહે છે.

આ પેશગીની રકમ ઉપર હાલ ૭.૯ ટકાનો વ્યાજનો દર નિયત કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીએ મકાન પેશગીની મુદ્દલની ૧૮૦ હપ્તામાં તેમજ વ્યાજની ૬૦ હપ્તામાં ભરપાઇ કરવાની રહે છે.

વધુમાં, મંત્રીશ્રીએ કહ્યું કે મકાન પેશગી મેળવી હોય તેવા કર્મચારીનું ચાલુ નોકરી દરમ્યાન અવસાન થાય તેવા કિસ્સામાં મકાન બાંધકામ પેશગીની બાકી રહેતી મુદ્દલ અને વ્યાજની રકમ માંડવાળ કરવામાં આવે છે. આમ, તેમના કુટુંબીજનોએ કોઇ રકમ ભરવાની રહેતી નથી. જે અંતર્ગત, ચાલુ નાણાકીય વર્ષમાં મકાન પેશગીના આવા ૨૩ કેસમાં કુલ રૂ. ૪૩,૦૧,૮૮૧ની રકમ માંડવાળ કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

संबंधित पोस्ट

ગુજરાતમાં સાંકડા પુલો-સ્ટ્રકચર્સને પહોળા કરવા ૪૬૭.૫૦ કરોડ રૂપિયા ફાળવાયા

Gujarat Desk

ગાંધીનગર: ધોલેરામાં 1305 કરોડનો ખર્ચે કાર્ગો એરપોર્ટ, નર્મદા જિલ્લામાં 24.11 કરોડના ખર્ચે એરપોર્ટ એરસ્ટ્રીટનું થશે નિર્માણ

Karnavati 24 News

લાઠી શહેર માં સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા દ્વારા અન્ન આરોગ્ય નો અવિરત સેવાયજ્ઞ

Admin

મોરબીના વાઘપર-ગાળા પાસે માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું

Karnavati 24 News

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાતના રોટલા અને સૌરાષ્ટ્રના ગાંઠિયાની બોલબાલા

Gujarat Desk

 કોણ બનશે સરપંચ ? મોરબી જીલ્લાના ૧૯૭ ગ્રામ પંચાયતની બેઠકો આવતીકાલે ફેસલો

Karnavati 24 News
Translate »