Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.ના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે આખરે યુનિ.ના સત્તાવાર બંગલો ખાલી કર્યો



(જી.એન.એસ) તા. 16

વડોદરા,

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.ના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપ્યા બાદ તેઓ યુનિ.ના સત્તાવાર બંગલો ખાલી કર્યો ન હતો, જે બાબતે વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. લગાતાર વિરોધ બાદ હવે આખરે પૂર્વ વીસીએ બંગલો ખાલી કરી દીધો છે. જો કે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પૂર્વ વીસીએ વિદેશ પ્રવાસ પાછળ યુનિ.ના રૂ. 21 લાખનો ખર્ચ કર્યો હતો. તે સહિત લાખો રૂપિયાનો ખર્ચ તેમની પાસેથી વસુલવા માટેની લોકમાંગ ઉઠવા પામી છે.

વર્ષ 2022 થી 2024 સુધીમાં યુનિ.ના પૂર્વ વીસી વિજય કુમાર શ્રીવાસ્તવે યુનિ.ના ખર્ચે નેપાળ, જાપાન, યુકે, ફ્રાન્સ, યુએઇ અને સ્પેઇનની મુલાકાત લીધી હતી. જેની પાછળ યુનિ.ના રૂ. 21 લાખ ખર્ચાયા છે. જે આરટીઆઇમાં સામે આવવા પામ્યું છે. મહત્વનું છે કે, લાયકાત નહીં હોવાથી પૂર્વ વીસીએ કોર્ટમાં સુનવણી દરમિયાન રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદથી તેઓ યુનિ.ના સત્તાવાર બંગલે ચીટકી રહ્યા હતા. જે બાદ યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરીને તેમને કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે બાદ આખરે તેમણે સાંજે સત્તાવાર બંગલો ખાલી કરી દીધો હતો.

संबंधित पोस्ट

કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ પર 8 અને 9 એપ્રિલે યોજાશે

Gujarat Desk

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક સંદેશથી વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને મળ્યું યોગ્ય માર્ગદર્શન

Gujarat Desk

ભાવનગર મહાપાલિકા ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરાયા

Admin

રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે ૨૨૧૯.૬૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો: શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર

Gujarat Desk

હરિયાણા પંજાબ થી આવેલ ધાર્મિક અગ્રનિયું નું ઇન્ટરવયૂ

Karnavati 24 News

જમ્મુ અને કાશ્મીરના યુવાનો માટે ગાંધીનગરમાં એક વિશેષ યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું

Gujarat Desk
Translate »