Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

હિટવેવથી બચવા, સાવચેતી રાખવા જી. એન. એસ નેશનલ ન્યૂઝ એજન્સી તરફથી જાહેર અપીલ


(જી.એન.એસ)

માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જે મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે જેથી શરીરમાં સનસ્ટ્રોક (લુ) લાગવાની શક્યતા ઘણી વધારે છે. જાહેર જનતાનાં હિતાર્થ સન સ્ટ્રોક (લુ) થી બચવા જી. એન. એસ નેશનલ ન્યૂઝ એજન્સી તથા આરોગ્ય દ્વારા કેટલાક સુચનો અનુસરવા અનુરોધ કરાયો છે.

અસહ્ય ગરમીમાં ભારે પરીશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. શરીરમાંથી પાણી તથા ક્ષારનું પ્રમાણ ઘટી જાય છે, જેનાં કારણે સન સ્ટ્રોક (લુ)ની અસર જણાય છે.

સન સ્ટ્રોક (લુ) લાગવાના લક્ષણો:-

          માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ.

          શરીર અને હાથ પગમાં અસહ્ય દુ:ખાવો થાય.

          ખુબ તરસ લાગે, વધુ પરસેવો થવો.

          ગભરામણ થાય.

          ચક્કર આવે.

          શ્વાસ ચડવો.

          હૃદયના ધબકારા વધી જાય.

          બેભાન થવું, શરીરમાં નબળાઇ આવવી.

          ગરમ, લાલ અને સુકી ચામડી થવી.

સન સ્ટ્રોક થી બચવા:-

          વધુ ગરમીમાં બિનજરૂરી બહાર જવું નહી.

          વધુ પડતા પ્રવાહીનો ઉપયોગ કરવો જેવા કે લીંબુ શરબત, શેરડીનો રસ, તાજા ફળોનો રસ પાણી, ઓ.આર.એસ વગેરે.

          લાંબો સમય સુધી તડકામાં ઊભા રહેવું નહીં.

          આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા.

          આંખો પર ગોગલ્સ પહેરવા, માથા પર ટોપી પહેરવી.

          ભીના કપડાંથી માથું ઢાંકી રાખવું.

          નાનાં બાળકો, સગર્ભા સ્ત્રી, વૃદ્ધોએ ગરમીમાં બહાર નીકળવું નહીં.

          લાંબો સમય ભૂખ્યા રહેવું નહીં.

          ખુલ્લા પગે તડકામાં ચાલવું નહીં.

          માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં  લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરાવી સલાહ અને સારવાર લેવી.

संबंधित पोस्ट

નીતિ આયોગે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ‘ભારતીય નવીનતા ઇકોસિસ્ટમમાં સહસંયોજનનું નિર્માણ’ વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કર્યું

Gujarat Desk

જૂનાગઢના વણઝારી ચોક વિસ્તાર નો બનાવ, પત્નીએ આપઘાત કરતા સમશાન યાત્રા વખતે પતિએ પણ ઝેર પી લીધું

Karnavati 24 News

સૂરતીઓને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની ખરીદી કરવાનો અનુરોધ કરતા રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk

પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલ ! પલસાણા એક જ રાતમાં ત્રણ મકાનોમાં તસ્કરોએ કરી ચોરી

Karnavati 24 News

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર સાથે લાર્સન એન્ડ ટુબ્રો(L&T)એ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના માટે ગાંધીનગરમાં MoU કર્યા

Gujarat Desk

 શહેરમાં મકરસંક્રાંતિ પર્વે ગુબ્બારા, ફૂગ્ગા અને સળગતું ફાનસ ચઢાવવા પર પ્રતિબંધ

Karnavati 24 News
Translate »