જૂનાગઢના વણઝારી ચોક વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં રહેતા પરણિતાએ ગતરાત્રે કોઇક કારણોસર ઝેરી ટીકડા ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી જ્યારે આજે સવારે તેની સ્મશાનયાત્રા વખતે પરણિતાને પતિએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડાયો હતો પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વણઝારી ચોક વિસ્તારમાં આવેલ વેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા ભવ્યભાઈ વશા એમ.આર. તરીકે ફરજ બજાવે છે ગત વર્ષે તેના હર્ષિદાબેન સાથે લગ્ન થયા હતા.આ દરમિયાન ગત રાતે હર્ષિદાબેન એક વર્ષ થી આ વિશે કોઈ કારણોસર શીલ ફોર્સના ઝેરી ટીકડા ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી અને પરિવારજનો માં શુભ સવાર હતો આજે સવારે હરસીદાબેન ની સમશાન યાત્રા નીકળે તે પૂર્વે તેના પતિ ભવ્યભાઈ વસા એ ઝેરી દવા પી લેતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગેની જાણ થતા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે જઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવથી પરિવારમાં પણ ગમગીની ફેલાઈ ગઈ હતી હાલ પત્નીના મૃત્યુ બાદ પતિએ પણ આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે હાલ તેમની સ્થિતિ સ્થિર છે