Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમરેલી બહાર પરા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનીકો માં રોષનો માહોલ

અમરેલી બહાર પરા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનીકોમાં રોષનો માહોલ…. નેતાઓ ચુંટણી સમયે મત લેવામાટે દોડ્યા આવે છે…. પ્રજાને રીજાવા માટે અનેકો વાયદા કરે છે…….. ગંદકી કારણે વિધાર્થીઓને શાળાએ જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે

અમરેલીના બહાર પરા વિસ્તારમાં ભારે ગંદકીના કારણે સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અહી બહારપરા પ્રાથમિક શાળા પાસે ગંદકીના ગંજ હોવાના કારણે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો  છે સ્થાનિકો દ્વારા તંત્ર અને નેતાઓને અનેક વખત રજુઅતો કરવામાં આવી હતી તેમ છતાં હાલ હજુ સુધી સમસ્યાઓનું નિરાકરણ આવ્યું નથી સમસ્યાનું નિરાકરણ ન આવવાના કારણે સ્થાનીકો રોષે ભરાયા છે

સ્થાનિકોનું કહેવું છેકે જયારે ચુંટણી આવે ત્યારે નેતાઓ મત લેવા માટે આવે છે ત્યારે બહુ મોટી મોટી પોકળ વાતો કરે છે જેમ કે તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી શું, ભાવ વધારો છે તેને ઘટાડો કરીશું જેવી અનેક મોટી મોટી વાતો કરે છે જયારે તે નેતાઓ ચુંટાઈને આવે છે પરંતુ તે નેતાઓ સમસ્યાનું નિરાકરણ કરતા નથી જેને લઈને સ્થાનિકોને અનેક સમસ્યાઓ વેઠવી પડે છે અહી બહારપરા વિસ્તારમાં ગંદકી ગંજ હોય કે પછી રોડ રસ્તાઓ હોય જેવી અનેક સમસ્યાઓના નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે

संबंधित पोस्ट

રાજકોટ શહેર ના વોર્ડ નંબર 4 માં પેવિંગ બ્લોક નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

Karnavati 24 News

માંગરોળ માં ઘરનો કબાટ તોડીને 1.39 લાખની માલમતા ની ચોરી

Admin

ભરૂચ:કાર માં ચોર ખાનું બનાવી લઈ જવાતો શરાબ ના જથ્થા સાથે એક ની ધરપકડ

Karnavati 24 News

હળવદના ચરાડવા ગામે ઉકરડામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

Karnavati 24 News

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યો ભ્રષ્ટાચાર મુદ્દે રાજીનામાં આપ્યા તેને કોર્પોરેટર પદેથી પણ હટાવવામાં આવે તેવી માંગ .

Karnavati 24 News