Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદ ના મેમનગરમાં બેફામ કારચલકે એક સાથે 5-6 વાહનોને અડફેટે લીધા; 2 લોકો ઇજાગ્રસ્ત



(જી.એન.એસ) તા. 10

અમદાવાદ,

ફરી એકવાર અમદાવાદના મેમનગર વિસ્તારમાં બેફામ કારચલકે સવારે અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં આરોપીએ હવે પોતાની ભૂલ સ્વીકારી છે. તેણે કહ્યું કે મને ઘટનાનું ખુબજ દુઃખ છે.

આ અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા, જેમણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં 50 વર્ષીય મહિલા અને 70 વર્ષીય વૃદ્ધ હોવાનું હાલ જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

કારચાલક દારૂમાં નશામાં હોવાથી અકસ્માત સર્જ્યો હોવાનો સ્થાનિકોએ આરોપ કર્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કારચાલકની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, કારચાલકની ઓળખ ચિંતન પરીખ તરીકે થઈ છે. જ્યારે જે કારથી અકસ્માત સર્જ્યો તે કારનાં માલિકનું નામ હર્ષ પરીખ હોવાનું ખુલ્યું છે. પોલીસે CCTV ફૂટેજ અને આરોપીએ નશો કર્યો હતો કે કેમ ? તે માટે બ્લડ સેમ્પલ લેવા સહિતની કામગીરી હાથ ધરી છે.

આ સાથે આરોપીએ પોતાનો લુલો બચાવ કરતા કહ્યું કે એક સપ્તાહ પહેલાજ મારી માતાનું નિધન થયું હોવાથી હું આઘાતમાં હતો. અને મારા ભત્રીજાને સ્કૂલે મુકીને આવી રહ્યો હતો જે દરમ્યાન ભૂલથી બ્રેકને બદલે એક્સિલેટર પર પગ દબાઇ ગયો હતો. આરોપીએ કહ્યું કે આ ઘટનાનું મને ખુબજ દુખ છે.

संबंधित पोस्ट

CM ભૂપેન્દ્ર પટેલ સહિત 18 જેટલા મંત્રીઓ લઈ શકે છે આવતીકાલે શપથ, રાજ્યમાં 7મી વખત ભાજપની સરકાર બનશે

Admin

૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫નું આયોજન

Gujarat Desk

જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે

Karnavati 24 News

વિશ્વ કેન્સર દિવસ: ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના વરદાનસ્વરૂપ, છેલ્લા છ વર્ષોમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર

Gujarat Desk

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

Admin

અમરેલીમાં પોસ્ટલ વિભાગ વિદેશી મોકલાતા પાર્સલ ઘર બેઠા કલેકશન કરશે

Karnavati 24 News
Translate »