: અમરેલી પોસ્ટ વિભાગનાં પોસ્ટ માસ્ટરે એક યાદીમાં જણાવેલ છે કે,ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા એક નવો અભિગમ શરૂ કરવા જઈ રહયા છીએ. મોબાઈલ પાર્સલ પિ-કપ વાન કે જે પરિવારનાં ભુલકાઓ તથા આત્મીયજનો પરદેશમાં વસી રહયા છે. તેઓને ભારત દેશમાંથી મોકલવામાં આવી રહેલ પાર્સલ ખુબજ વજનદાર અને ભારી ખમ અંદાજીત 19-ર0 કિલો સુધીનાં હોય છે.
તે પાર્સલ લોકોને પોસ્ટ ઓફિસ સુધી કોઈને કોઈ રીતે ઉચકીને લઈ આવવા પડતા હોય છે. જે અમો આપને ત્યાંથી લઈને બુકિંગ કરાવી આપશું. તેમજ ખાસ પીકપની વ્યવસ્થા માટેનો કોઈ અલગથી ચાર્જ લેવામાં આવતો નથી. સિવાયકે જો આપનાં દ્વારાપાર્સલ પેકિંગ કરેલનાં હોય તો તે પેકિંગ કરી આપવાનો લેબર ચાર્જ અલગથી આપવાનો રહેશે.
ત્યારબાદ અહીની પોસ્ટ ઓફિસની લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે. જેનાં કારણે લોકો વધારે થાક અનુભવતા હોય છે. તેમજ અન્ય કુરિયર કંપની કરતા ઘણું સસ્તુ રહેશે.વધુમાં જણાવેલ છે હવે અમે આપને કરી આપશું. આપને અમારા પોસ્ટ ઓફિસનાં અધિકારી પબ્લિક રીલેશન ઈન્સ્પેકટર / માર્કેટીંગ એકજયુકેટીવનો સંપર્ક કરવાનો રહેશે.