Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

5 કિલો મફત રાશન પર નભતાં 80 કરોડને 12 લાખ સુધી ઈન્કમટેક્સમાંથી મુક્તિ

5 કિલો મફત રાશન પર નભતાં 80 કરોડને 12 લાખ સુધી ઈન્કમટેક્સમાંથી મુક્તિ !

[1] કુલ બજેટ ₹ 50.65 લાખ કરોડનું. આવતે વર્ષે જીડીપી થશે ₹ 330 લાખ કરોડ. એટલે કે બજેટ કહેવાય જીડીપીના માત્ર 15.38 ટકા. આનો અર્થ એ કે સરકારનું કદ બહુ જ ઓછું. લોકોને બજારના ભરોસે છોડી દેવાનો વધુ કે પ્રયાસ. દેશ વધુ મૂડીવાદી બનશે.

[2] શિક્ષણ મંત્રાલયનું ખર્ચ ₹ 1.29 લાખ કરોડ અને એકંદર શિક્ષણ ખર્ચ ₹ 2.12 લાખ કરોડ. એ જીડીપીના થાય 0.64 ટકા. એમાં તમામ પ્રકારના ખર્ચનો સમાવેશ થઈ જાય.શિક્ષણ નીતિ એમ કહે છે કે કેન્દ્ર સરકારે 2 ટકા ખર્ચ કરવાનું હોય કારણ કે રાજ્યો 4 ટકા ખર્ચ કરે જ છે. ખાનગીકરણ વધશે એ નક્કી છે.

[3] મનરેગા કાયદો કહે છે 100 દિવસની રોજગારી મળે. હાલ મળે છે 54 દિવસ. ખર્ચ ચાલુ વર્ષ જેટલું જ ₹ 86000 કરોડ અંદાજવામાં આવ્યું. ગામડાંની બેકારી દૂર નહિ થાય. શહેરોની બેકારી એમ જ રહેશે.

[4] આરોગ્ય માટેનું ખર્ચ પણ ₹ 89000 કરોડ પર સ્થિર. એમાં પણ ખાનગીકરણ વધશે. નીતિ કહે છે કે બજેટના 8 ટકા ખર્ચ કરવાનું. થાય છે બજેટના માત્ર 1.76 ટકા. ગરીબોએ બીમાર જ નહિ પડવાનું, સમજ્યા?

[5] અન્ન સબસિડીમાં સહેજ પણ વધારો નહિ. સસ્તું અનાજ જેટલાને મળે છે એટલાને જ મળશે. વસ્તી દોઢ કરોડ વધશે આવતા વર્ષે, પણ એ બધી ધનવાનો જ વધારવાના છે, ગરીબો નહિ ! અન્ન સબસિડીનો ખર્ચ ₹ 2.03 લાખ કરોડ થશે કે જે ચાલુ વર્ષના બજેટ અંદાજ કરતાં ₹ 2 હજાર કરોડ ઓછો અને સુધારેલા અંદાજ કરતાં માત્ર 6 હજાર કરોડ ₹ વધારે !

[6] ગ્રામ વિકાસ માટે ચાલુ વર્ષના બજેટમાં અંદાજ હતો ₹ 2.66 લાખ કરોડનો અને ખર્ચો થયો માત્ર ₹ 1.91 લાખ કરોડ. આમ, ₹ 75000 કરોડ ઓછા ! હવે આવતે વર્ષે અંદાજનો આંકડો ફરી એનો એ જ ! સ્પષ્ટ છે કે ગામડાંનો વિકાસ નથી કરવો કે જ્યાં વિશ્વગુરુ દેશની 70 ટકા વસ્તી હજુ પણ વસે છે !

[7] શહેરી વિકાસ માટે પણ અંદાજ હતો ચાલુ વર્ષે ₹ 83000 કરોડનો અને ખર્ચ થયો ₹ 64000 કરોડનો ! હવે અંદાજ આવતા વર્ષ માટે છે ₹ 97000 કરોડનો. જોરદાર વધારો. નરેન્દ્ર મોદીને શહેરો બહુ ગમે છે, વડનગર કરતાં મોટાં શહેરો !

[8] MSME-Micro, Small and Medium Enterprises માટે નિર્મલા સીતારામન બહુ બોલ્યાં બજેટ પ્રવચનમાં. ચાલુ વર્ષે તેમને માટે ₹ 22000 કરોડનો ખર્ચ અંદાજ્યો હતો, થયો ₹ 17000 કરોડનો. આવતા વર્ષ માટેનો અંદાજ ₹ 23000 કરોડનો ! દેશમાં 4 કરોડ MSME છે. એમાં 3.9 કરોડ તો સાવ જ નાનાં. હવે સીધી કેટલી સહાય તેમને મળશે એનો અંદાજ તમે જ માંડી લો.

[9] સામાજિક કલ્યાણ માટેનો ખર્ચ ચાલુ વર્ષે થયો ₹ 46000 કરોડ અને હવે આવતા વર્ષે થશે ₹ 60000 કરોડ. જે ગરીબોને જેટલી સહાય મળતી હતી તેટલી જ મળશે. કોઈ વધારો નહિ થાય. ફુગાવાની ચિંતા ના કરો.

[10] કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ખેડૂતોને મળતી લોનની રકમ ₹ 3 લાખથી વધારીને ₹ 5 લાખ કરાઈ. તેનો લાભ 7.7 કરોડ ખેડૂતોને મળશે. પણ દેશમાં ખેડૂતો 15 કરોડ છે !

[11] ધનધાન્ય યોજના હેઠળ 1.7 કરોડ ખેડૂતોને સહાય અપાશે. પરંતુ એ તો દેશના માત્ર 8 ટકા જ છે ! અને 82 ટકા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે કે જેમની પાસે 2 હેક્ટર કરતાં ઓછી જમીન છે.

[12] એક કરોડ ગિગ વર્કર્સને આરોગ્યનો લાભ મળશે જો તેઓ ઇશ્રમ પોર્ટલમાં નોંધાશે. સવાલ એ પણ છે કે તેઓ કે તેમના પરિવારમાં કોઈ બીમાર ન પડે તો તેમની આવક કેવી રીતે વધે?

[13] મેડિકલ કોલેજોમાં આવતે વર્ષે 10000 બેઠકો વધશે. આ એક સારી વાત છે. પણ આયુર્વેદિક કોલેજોનું શું? વળી, સવાલ એ પણ છે કે એ ખાનગી કોલેજોમાં વધશે કે સરકારી કોલેજોમાં? અને ફી કેટલી હશે એની તો કોઈ વાત જ નથી. આશ્ચર્યની બાબત એ છે કે 5 કિલો મફત રાશન પર નભતાં 80 કરોડને 12 લાખ સુધી ઈન્કમટેક્સમાંથી મુક્તિ આપી !rs [સૌજન્ય : પ્રો. હેમંતકુમાર શાહ, બજેટ દિન, 1 ફેબ્રુઆરી 2025.

संबंधित पोस्ट

किसान इस ठण्डी रात मे गेहू की फसल की रखवाली करते हुऐ 

Karnavati 24 News

स्वतंत्रता दिवस से पहले दिल्ली पुलिस ने बडी साज़िश को किया नाक़ाम

Karnavati 24 News

11वीं क्लास की लड़की को स्कूल के पास से उठाया, इतने लड़कों ने किया गैंगरेप

Karnavati 24 News

સિલ્વર ઑક યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારોહમાં

Karnavati 24 News

ટાટા કાર ખરીદવા માટે લોકોની પડાપડી, નેક્સોન અને પંચ SUVની મજા પડી, તોડી નાખ્યાં સેલ્સના તમામ રેકોર્ડ

સાબરમતીના કિનારે જામ્યો પતંગ મહોત્સવ…

Karnavati 24 News
Translate »