Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાતના 24 IAS અધિકારીઓને બઢતી અને બદલીના ઓર્ડર



(જી.એન.એસ) તા. 1

ગાંધીનગર,

ગુજરાતના 24 IAS અધિકારીઓની બઢતી અને બદલી કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બંછાનિધિ પાનીને અમદાવાદના નવા મનપા કમિશનર બનાવવામાં આવ્યાં છે. આ સાથે એમ. થેન્નારસનની બદલી અગ્રસચિવ તરીકે કરવામાં આવી છે. આવા કુલ 24 IAS અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. અમદાવાદના કલેક્ટરને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર (GIDC MD) તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ડો. વિનોદ રાવને પ્રમોશન સાથે મજૂર અને કૌશલ્ય વિકાસ વિભાગના મુખ્ય સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

પી. સ્વરુપને ઉદ્યોગ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે. રાહુલ ગુપ્તાને ક્લાઈમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સોંપાયો છે. આ સાથે રમ્યા મોહનને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે અવંતિકા સિંહને GACL નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારે પ્રવિણ સોલંકીને DG મહાત્મા ગાંધી લેબર કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અમૃતેશ ઔરંગાબાદકરને રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલ્ટીસ અમદાવાદનો વધારાનો ચાર્જ સોંપાયો છે. કે.સંપતની ખાણ ખનિજ વિભાગના MD તરીકે નિમણૂક કરાઈ છે, જ્યારે આર એમ તન્નાને દેવભૂમિ દ્વારકાના કલેક્ટર તરીકે ચાર્જ સોંપાયો છે.

संबंधित पोस्ट

પાટડીના હિંમતપુરામાં 25થી વધુ ઘેટામાં લમ્પી જેવો વાઇરસ જોવા મળતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો

Karnavati 24 News

कपूरथला से नशे की हलात में वायरल लड़की की वीडियो ने कपूरथला पुलिस प्रशासन उठे सवाल

Admin

 ચાણસ્માની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એઇડ્સ જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Karnavati 24 News

પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે ઉમેદવારી ફોર્મ ભર્યું

Admin

૫૧ શક્તિપીઠના “હ્યદય” અંબાજીના વિશ્વસ્તરીય ડેવલપમેન્ટ માટે સરકારનો અડગ નિર્ધાર છે:- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

મહેસાણા નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા વિકાસ કામમાં ભૂતકાળ નો રેકોર્ડ તોડ્યો

Karnavati 24 News
Translate »