Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે ઉમેદવારી ફોર્મ ભર્યું

પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે ઉમેદવારી ફોર્મ ભર્યું ગુજરાત વિધાનસભા ચૂંટણીના લોકઉત્સવના પડઘમ વાગી ચુકયા છે . 2022 ના આ ચૂંટણી રણસંગ્રામમાં ગુજરાતમાં પ્રથમવાર કમળ , પંજો અને ઝાડુના નિશાનના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાય તેવું કેટલીક બેઠકો પર અત્યારથી જ અનુમાન લગાવી રહ્યા છે ત્યારે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે પોતાનું ઉમેદવારીપત્ર વિજયમુર્હુતમાં ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું હતું . પાટણ વિધાનસભા બેઠકનાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર વાવેશ ઠક્કરે પાટણ નગર માટે અનેક સેવાકીય કાર્યો કર્યા છે . મૃતપ્રાયઃ હાલતમાં બનેલી સીવીલ હોસ્પિટલને જીવંત કરવામાં તેઓએ મહત્વનો ફાળો આપ્યો હતો . ભૂતકાળમાં કોગ્રેસની પડખે રહી ચુકેલા આ સેવાભાવી વ્યકિતએ ‘ આપ ’ નો હાથ પકડતા તેઓને આમ આદમી પાર્ટી દ્વારા પાટણ વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આજે વિલાજ પાર્ટીપ્લોટ ખાતેથી સમર્થકોની મોટીસંખ્યા સાથે ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા રોડ શો યોજયો હતો . ત્યારબાદ વિજયમુર્હુતમાં મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીને ઉમેદવારીપત્ર સુપ્રત કર્યું હતું . ત્યારબાદ આ રોડ શો મદારસા થઈ ત્રણ દરવાજા , હિંગળાચાચર અને બગવાડા ચોક ખાતે આવી પહોંચતા આપના સમર્થકોએ વિજય જેવો આનંદ ઉલ્લાસ વ્યકત કર્યો હતો . આ પ્રસંગે વાલેશ ઠકકરે જણાવ્યું હતું કે , 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં સરકારની અનેક નિષ્ક્રિયતાઓ સામે લોકો ચૂંટણી લડી રહયા છે . જે રીતે મને સહકાર મળી રહયો છે તે જોતા આ ચૂંટણીમાં મારો ચોકકસ વિજય થશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો . આ રોડ શો દરમ્યાન ઉમેદવાર લાલેશ ઠક્કર સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ મહાનુભાવોની પ્રતિમાને માલ્યાર્પણ કરી આર્શીવાદ મેળવ્યા હતા

संबंधित पोस्ट

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ દ્વારા સૌ પ્રથમ વખત મીડિયા કર્મીઓ સાથે સીધા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Karnavati 24 News

સુરતમાં ધો-૧૦ની વિદ્યાર્થિનીને માઠું લાગી આવતા કર્યો આપઘાતનો પ્રયાસ,ભણવાની જગ્યાએ પ્રેમી સાથે ફરવા જતી હતી,પરિવારે નજરકેદ કરતાં ભર્યું પગલું.!

Karnavati 24 News

એક વ્યક્તિએ જીવને જોખમમાં મૂકી કિંગ કોબ્રાને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો,વિડીયો જોઈ યૂજર્સ ચૌકી ઉઠયા

Admin

યાત્રાધામ ભુરખીયા દાદા ના સાનિધ્ય માં મહા ઉત્સવ ઉજવાયો .

Karnavati 24 News

SP સંજય ખરાતે ખાખીને દાગ લગાડનાર ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

પા-પા-પગલી પ્રોજેકટ : 3 થી 6 વર્ષના બાળકો માટે વરદાન : મનીષાબેન વકીલ

Karnavati 24 News