Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

બંધારણે આપણને ખૂણામાં સંતાવાનું કહ્યું નથી !

બંધારણે આપણને ખૂણામાં સંતાવાનું કહ્યું નથી !

ભારતના બંધારણને 75 વર્ષ પૂર્ણ થયા છે, એ નિમિત્તે નવસર્જન ટ્રસ્ટ, દલિત શક્તિ કેન્દ્ર અને દલિત ફાઉન્ડેશન દ્વારા દેશવ્યાપી અભિયાન ‘વોક ફોર સંવિધાન’નું આયોજન કરવામાં આવ્યું છે.

દેશના 17 રાજ્યોમાંથી તાલીમ પ્રાપ્ત કરેલાં 11000 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓ જોડાશે. તેઓ પોતાના વિસ્તારમાંથી 10 લોકોને આ કાર્યક્રમમાં જોડશે અને 1 ફેબ્રુઆરી 2025 થી 14 એપ્રિલ 2025 સુઘી દરરોજ પોતાના ગામમાં/શહેરમાં 2 કિલોમીટર 10 મિત્રોની સાથે ‘સંવિધાન વોક’ કરશે.

આમાં ઉત્સાહભેર ભાગ લેનારા લોકો તેમના વિડીયો, ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને બીજા મિત્રોને પ્રેરણા પૂરી પાડશે. દેશના તમામ નાગરિકોને ભારતના બંધારણ પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ તેમના અધિકારો અને જવાબદારીઓ માટે જાગૃત રહેવા માટે પ્રોત્સાહિત કરશે.

દલિત એક્ટિવિસ્ટ માર્ટિન મેકવાન કહે છે : “બંધારણે આપણને ખૂણામાં સંતાવાનું કહ્યું નથી, જાહેરમાં નીકળીને પોતાના અધિકાર માટે ચાલવાનું શિખવાડ્યું છે. બંધારણે આપણને મજબૂત બનાવ્યા છે. એટલે આપડી ફરજ છે કે તમામ તાકાત લગાડીને બંધારણને મજબૂત બનાવીએ. બંધારણના માનમાં, 1 ફેબ્રુઆરી 205થી 14 એપ્રિલ 2025 સુધી, 75 દિવસ સુધી, પોતાના ગામમાં/ પોતાના શહેરમાં ઓછામાં ઓછા 10 લોકોને સાથે રાખીને 2 કિલોમીટર ચાલવું. હું તમામ લોકોને અપીલ કરું છું કે પોતાના શરીરની મજબૂતી માટે, પોતાના આત્માની મજબૂતી માટે, પોતાની માનસિક મજબૂતી માટે, સંવિધાન પ્રત્યે પોતાની વફાદારી મજબૂત કરવા માટે 75 દિવસ સુધી લોકોને સાથે રાખીને 2 કિલોમીટર ચાલે.”

संबंधित पोस्ट

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ

Karnavati 24 News

” फ़िल्म ‘ऊंचाई’ ने मुझे नई ऊंचाईयों पर पहुंचाया ” 30 साल बाद सर्वश्रेष्ठ निर्देशक के लिए राष्ट्रीय पुरस्कार जीतने पर सूरज बड़जात्या ने समर्पित किया अपना ये अवार्ड महेश भट्ट,एन चंद्रा और हिरेन नाग को!

Karnavati 24 News

#WhiteTshirtMovement की शुरुआत

Karnavati 24 News

અમદાવાદ શહેરના છ ઝોનમાં 18 ક્રિકેટ ગ્રાઉન્ડ

Karnavati 24 News

મોંઘવારી, બેરોજગારી, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં વિલંબ, વારંવાર પેપરફુટવા, આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ – ફીક્ષ પેના નામે આર્થિક શોષણ સહિતના મુદ્દે ગુજરાતની જનતાનું મુળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ભાજપ સરકાર દ્વારા ‘યુનિફોર્મ સીવીલ કોડ’ અંગે સમિતિ રચના ગતકડા – નાટક પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રાજ્યમાં માર્ગ સલામતી સંલગ્ન વિવિધ કામગીરી હાથ ધરવા માટે માર્ગ મકાન વિભાગને ₹188 કરોડ ફાળવવાની મંજૂરી આપી

Karnavati 24 News
Translate »