Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભાવનગર હરિદ્વાર વચ્ચે વધુ એક ટ્રેન, રાજ્ય મંત્રી અને સાંસદ નિમુબેન બાંભણીયાના પ્રયત્નો સફળ થતાં આ ટ્રેન ફાળવવામાં આવશે



(જી.એન.એસ) તા. 24

ભાવનગર,

ભાવનગરના રેલ્વે મુસાફરોને એક ખૂબ મોત સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય રાજ્ય મંત્રીના પ્રયત્નો સફળ થતાં હવે રેલવેના મુસાફરોને મળશે વધુ એક સારી સગવડ. ભાવનગર હરિદ્વાર વચ્ચે વધુ એક ટ્રેન ફાળવવામાં આવશે. રાજ્ય મંત્રીય અને સાંસદ નિમુબેન બાંભણીયાના પ્રયત્નોથી આ ટ્રેન ફાળવવામાં આવશે.

આ ટ્રેન ભાવનગરથી હરિદ્વાર સપ્તાહમાં બે વખત દોડશે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેનની ઓફિસેથી આ માહિતી આપવામાં આવી છે. રેલ્વે વિભાગ આ માટે ટાઇમટેબલ સાથે સત્તાવાર જાહેરાત કરશે. ભાવનગરને વધુ એક ટ્રેન ફાળવવામાં આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

ભાવનગરવાસીઓની લાંબા સમયથી માંગ હતી કે તેમને હરિદ્વારથી વધુ એક ટ્રેન ફાળવવામાં આવે. હવે તે માંગ પૂરી થઈ છે. તેમને આ ટ્રેન ફાળવવામાં આવશે. આગામી નાણાકીય વર્ષમાં આ ટ્રેન શરૂ થઈ જાય તેમ માનવામાં આવે છે. ભાવનગરના રહેવાસીઓની વર્ષો જૂની માંગ પૂરી થવાથી લોકો ખુશ છે. તેમા પણ ભાવનગર અને બોટાદ સાઇડનું બ્રોડગેજનું કામ પૂરુ થયું હોવાથી હવે ત્યાંથી લાંબા અંતરની ટ્રેનો દોડાવવાનું શક્ય બન્યું હોવાનું રેલ્વેએ જણાવ્યું છે. આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત જ નહીં પણ મધ્ય ભારત તથા ઉત્તર પ્રદેશની કનેક્ટિવિટીની અનેક ટ્રેનો દોડતી થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

संबंधित पोस्ट

 પાટણની એમ. કે. શૈક્ષણિક સંકુલ ખાતે એઈડ્સ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

Karnavati 24 News

નવસારીમાં ડ્રેનેજનો ખાળકૂવો બનાવતા બે મજૂરો ફસાયા

Gujarat Desk

ગુજરાત વ્યૂહાત્મક પહેલ અને માળખાકીય વિકાસ દ્વારા AI ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ

Gujarat Desk

दिल्ली: खूंखार कुत्तों ने नोंचकर 2 मासूम भाइयों के टुकड़े कर ले ली जान, MCD की कार्रवाई पर उठे सवाल!

રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત ૨૦૭ જળાશયોમાં ૫૭ ટકાથી વધુ જળ સંગ્રહ : જળ સંપત્તિ મંત્રીશ્રી કુંવરજી બાવળીયા

Gujarat Desk

અમરેલીમાં પોસ્ટલ વિભાગ વિદેશી મોકલાતા પાર્સલ ઘર બેઠા કલેકશન કરશે

Karnavati 24 News
Translate »