Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

નવસારીમાં ડ્રેનેજનો ખાળકૂવો બનાવતા બે મજૂરો ફસાયા



(જી.એન.એસ) તા. 13

નવસારી,

નવસારીમાં એક મોટી દુર્ઘટના થતાં  રહી ગઈ હતી જેમાં ડ્રેનેજ ના કામ માટે ખાળકૂવો બનાવતા બે મજૂરો ખાળકૂવામાં ફસાયા હતા. આ ઘટનામાં બે મજૂરો સ્ક્વેર હાઈટ બિલ્ડીંગના ડ્રેનેજનો ખાળકુવો બનાવતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ ઘટના ઈટાડવાથી એરૂ તરફ જતા માર્ગ પર બની હતી. જેમાં ખાળકુવાની દિવાલ ચણતી વખતે દિવાલનો ભાગ પડતા દુર્ઘટના બની હતી. જેમાં દિવાલનો ભાગ પડતા બે મજૂરો અંદર ફસાયા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર કર્મચારીઓ ઘટનાસ્થળે તરત દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી તે સિવાય નાયબ મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે મુશ્કેલીઓ બાદ બાદમાં બંને મજૂરોને બહાર કાઢી નવસારી સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.

संबंधित पोस्ट

મધ્યપ્રદેશથી અફીણ લઇને આવેલો કેરિયર ઝડપાયો, પોલીસે ૬.૦૯ કિલો અફીણ આરોપીઓ પાસેથી કબજે કર્યો

Gujarat Desk

તા. ૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ સેક્ટર 11 રામકથા મેદાન ખાતે દ્વિ-દિવસીય ‘મિલેટ એકસ્પો-૨૦૨૫’ યોજાશે

Gujarat Desk

 જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો પારો ફરીથી પરત ફરતાં આંશિક રાહત: 16.2 ડિગ્રી તાપમાન

Karnavati 24 News

આઇએસઆઇ (ISI) માર્ક લગાડ્યા વિના ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ બનાવવા વાળી યુનિટની ઉપર ભારતીય માનક બ્યૂરોનો દરોડો

Gujarat Desk

રાજકોટનાં દૂધસાગર રોડ પરથી ઝડપાયો દારૂ ભરેલ વાહન: ૭ લાખથી વધુ કિંમતની દારૂની બોટલો કરી જપ્ત

Admin

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ડભવા ગામ ખાતે સગાઈ પ્રસંગમાં દેવગઢ બારીયાના મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષાર સિંહ બાબા એ હાજરી આપી

Karnavati 24 News
Translate »