Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મગફળીની ખરીદી પારદર્શક રીતે કરાઈ છે; ગુજકોમાસોલ  એક કરોડનો બદનક્ષીનો દાવો કરશે: દિલીપ સંઘાણી



ટેકાના ભાવે મગફળીની ખરીદી બાબતે ગુજકોમાસોલ અને તેના અધિકારીઓ પર  ભ્રષ્ટાચારના આરોપ બાદ

(જી.એન.એસ) તા. 22

જુનાગઢ/ગાંધીનગર,

ગુજકોમાસોલ પર ગુજકોમાસોલ અને તેના અધિકારીઓ પર ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ લગાવ્યા હતા જે બાદ ગુજકોમાસોલ ચેરમેન દિલીપ સંઘાણી એ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મગફળીની ખરીદી પારદર્શક રીતે કરાઈ છે.  બારદાન સંદર્ભે નાફેડની જવાબદારી છે. બારદાન આપવામાં મોડું થયેલું. બારદાન સંદર્ભે એક અધિકારીને સસ્પેન્ડ પણ કરાયા છે. આ સાથે દિલીપ સંઘાણીએ કહ્યું કે, ગુજકોમાસોલ  એક કરોડનો બદનક્ષીનો દાવો કરશે. 

દિલીપ સંઘાણીએ કહ્યું કે મને નરેન્દ્રસિંહે જણાવ્યું કે, આવા ખોટા આક્ષેપ કરીને  વ્યક્તિગત અને ગુજકોમાસેલને જે રીતે બદનામ કરવામાં આવું છે. તેની સામે પરવાનગી આપો. નરેન્દ્ર સિંહે કોર્ટ સમક્ષ એક કરોડનો માનહાનિનો દાવો રજૂ કર્યો છે. અને મે તેને પરવાનગી આપી છે.  અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની સામે આવી નથી. મે પહેલા પણ કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો મણે જાણ કરજો. ગમે એટલા મોટા વ્યક્તિની મંડળી હોય અમે ક્ષણના વિલંબ વિના અમે પગલાં ભરીશુ. આ આક્ષેપો ફક્ત કેવા પ્રકારના થયા તે જોયા નથી. જો આમાં ઇન્ટરનલ તપાસની જરૂર પડશે તો તે અમે કરીશુ. 

संबंधित पोस्ट

સાવલી મંજુસર જી.આઇ.ડી.સી.ની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી

Gujarat Desk

બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે રૂ.૬.૬૦ કરોડના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું નિર્માણ કરાશે: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની મુશ્કેલીઓ થશે ઓછી, યાત્રીઓ માટે શરૂ કરાઈ આ ખાસ સેવા

Karnavati 24 News

ગુજરાતનું પ્રથમ બજેટ 1960માં રજૂ કરાયું ત્યારે 114.92 કરોડનું હતુ, જાણો અજાણી વાતો

Karnavati 24 News

રાજકોટ સીટી બસ ફરી વિવાદમાં: વધુ ૧૨ કન્ડક્ટરને ટેમ્પરરી અને એક કન્ડક્ટરને કાયમી માટે કરાયા સસ્પેન્ડ

Admin

ગાંધીનગર જિલ્લામાં સેક્ટર -11 રામકથા મેદાન ખાતે “મિલેટ મહોત્સવની” ઉજવણી કરવાનું આયોજન

Gujarat Desk
Translate »