Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં સિંહ સંરક્ષણ જાગૃતિ સેમીનારનું આયોજન


(G.N.S) Dt. 19

(તખૂભાઈ સાંડસૂર)

ભાવનગર,

વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં સિંહ સંરક્ષણ જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદઘાટન વન્ય પ્રાણી વિભાગ સાસણના નાયબ વનસંરક્ષક શ્રી ડો. મોહન રામે કર્યું હતું. તેઓએ જણાવ્યું કે આજનો આ માર્ગદર્શન કાર્યક્રમ આવતા દિવસોમાં સિંહ સરક્ષણ અને સિંહ જાગૃતિ માટે મહત્વનો સાબિત થશે. હું આપ સૌની સાથે ભલે પ્રત્યક્ષ રીતે ન મળતા હો પરંતુ પરોક્ષ રીતે હંમેશા જોડાયેલો છો. સને 2025 માં યોજાનાર સિંહ ગણતરીનો આગામી કાર્યક્રમ યોજાશે તેમાં કેવી રીતે કામ કરવું તે આજે વિગતો અપાશે.
આ કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી રાઠોડ,શ્રી ઉમરાણિયા તથા સિંહ દિવસના મહત્વનું સંકલન કરતા શ્રી કરસનભાઈ વાળા તથા પર્યાવરણ અને પ્રાણી તજજ્ઞ શ્રી રોહિત વ્યાસ અને ભાવનગર જિલ્લાના સિંહ દિવસના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુર વગેરે જોડાયાં હતા.
ભાવનગર જિલ્લાના સિંહ દિવસ સાથે જોડાયેલાં કાર્યકર્તાઓ, બીઆરસી શ્રીઓ, સીઆરસી શ્રીઓ તથા તાલુકા કોર્ડીનેટર શ્રી ઓ વગેરેની પણ વિશેષ હાજરી રહી હતી.

संबंधित पोस्ट

ગાંધીધામના તબીબે કિડાણાનાં આધેડ સાથે 8 લાખ રૂપિયાની ઠગાઇ કરી, પોલીસ ચોપડે ગુનો નોંધાયો

Gujarat Desk

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમ નું આયોજન કરાયું

Karnavati 24 News

પાટણના વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે પર્યટકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા શહેર ભાજપના પૂર્વ પ્રમુખે સાંસદને પત્ર લખ્યો

Karnavati 24 News

નવી મુંબઇની એક સ્કૂલના 16 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, એકના પિતા કતારથી આવ્યા હતા

Karnavati 24 News

આણંદ જિલ્લામાં ૩૭૦ કેદી ક્ષમતા સાથે રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે નવી તૈયાર થઇ રહેલી બાકરોલ જેલને ‘જિલ્લા જેલ’ ઘોષિત કરવા નિર્ણય

Gujarat Desk

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહેરામપુરા, દાણીલિમડાના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગિરી

Karnavati 24 News
Translate »