Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહેરામપુરા, દાણીલિમડાના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગિરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા અન અધિક્રુત બાંધકામો તથા જાહેરમાર્ગ પરના દબાણો દૂર કરવાની હાથ ધરેલ ઝુંબેશના ભાગરુપે બહેરામપુરા, દાણીલિમડાના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગિરી કરાઈ હતી.

બહેરામપુરા વોર્ડમાં ટી.પી. સ્કીમ નં.૩૮ (દાણીલીમડા બહેરામપુર-વેસ્ટ) સેકટર-૨ માં મોજે દાણીલીમડાના રે.સ.નં.૨૨૨ (૧+૨) પૈકીમાં બેરલ માર્કેટ રોડ પર, અલહમદપાર્ક મસ્જીદ ગલી નં.૧,૨,૩ ની બાજુમાં, અકબરખાન પાર્લર પાસે આવેલ “સીમા રો હાઉસ” ના રહેણાંક પ્રકારના કુલ ૦૬ (છ) યુનિટો વાળા અંદાજીત ૩૫૦૦ ચો.ફુટ ક્ષેત્રફળ ધરાવતાં અન-અધિકૃત બાંધકામ દૂર કરાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ અન્વયેની કાર્યવાહી કરી આજ રોજ બ્રેકર મશીન, ગેસ કટર મશીન, જનરેટર, દબાણ ગાડી તથા ખાનગી મજુરોની મદદથી દાણીલીમડા પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તોડી પાડવામા આવી હતી. આ ઉપરાંત બાકી રહેલ અન-અધિકૃત બાંધકામને દૂર કરવાની કામગીરી આવતીકાલે દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત હેઠળ ચાલુ રાખવામાં આવી છે.
દક્ષિણ ઝોનના જુદા જુદા જાહેરમાર્ગો તથા તેની ફુટપાથ ઉપરથી જાહેર જનતા તથા ટ્રાફીકને અવર જવરમાં નડતરરુપ ૨૯ નંગ પરચુરણ માલસામાન, લૂઝ દબાણો ગોડાઉન ખાતે જમા કરાવી જાહેરમાર્ગો ખુલ્લા કરવામાં આવ્યા છે. આવા પ્રકારના અન અધિક્રુત બાંધકામો, ટી.પી.રસ્તામાં કપાત થતાં બાંધકામો તેમજ જાહેરમાર્ગ પરના જાહેર જનતા તથા ટ્રાફીકને અવર જવરમાં નડતરરુપ દબાણો દૂર કરવાની કામગીરી આગામી દિવસોમાં ચાલુ રાખવામાં આવશે.

संबंधित पोस्ट

ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાનું મોત, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

Gujarat Desk

કેન્દ્ર સરકાર પછાત વર્ગોના ઉત્થાન માટે હંમેશા તત્પર છે: શ્રી રામદાસ આઠવલે

Gujarat Desk

આજે ૭ ઓકટોબર એટલે – વિશ્વ કપાસ દિવસ

Gujarat Desk

આજ નું પંચાંગ (27/06/2025)

Gujarat Desk

અમેરિકામાં આજથી ડ્રોપબૉક્સ વિઝા રિન્યુઅલ બંધ કરશે

Gujarat Desk

હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડી પર સિસ્ટમ સક્રિય, નવરાત્રિમાં વરસાદ ગરબા ખેલૈયાઓ ને અપસેટ કરી શકે છે

Gujarat Desk
Translate »