Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો



(જી.એન.એસ) તા.૧૫

જામનગર,

આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જામનગર  નજીક દરેડમાં તેમજ પડાણામાં મકરસંક્રાંતિ જેવા તહેવારના દિવસે ગળાફાંસા દ્વારા આત્મહત્યા ના બે કિસ્સાઓ બન્યા છે અને એક પરપ્રાંતિય તરુણી તેમજ એક યુવાને આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ જામનગર નજીક દરેડમાં રહેતી અંબા દેવી સીતારામ જોશી નામની 15 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘરે લોખંડની આડશમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે મૃતકના કુટુંબી રવિભાઈ બાબુભાઈ જોશીએ પોલીસને જાણ કરતાં પંચકોસી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત લાલપુર તાલુકાના પડાણામાં રહીને મજૂરી કામ કરતા તરુણ કુમાર સુકુમાર સાત્રા નામના 37 વર્ષના બંગાળી યુવાને ગઈકાલે પોતાના રૂમમાં વાંસના બાબુ સાથે મફ્લર બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. જે બનાવ અંગે તેની સાથે રહેતા રવિન્દ્રનાથ બંગાળી પોલીસને જાણ કરતાં મેઘપર પડાણાના .એસ.આઈ.વી.સી. જાડેજા બનાના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણે કયા સંજોગોમાં આપઘાત નું પગલું ભરી લીધું, તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

16મો આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ

Gujarat Desk

યુકેન માં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી

Karnavati 24 News

બાબા દરબાર પહોંચ્યા ત્રણ શંકાસ્પદો પોલીસ કસ્ટડીમાં, સુરક્ષા એજન્સીઓ પૂછપરછમાં લાગી

Admin

ભચાઉના શિવલખામાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા

Gujarat Desk

મહુવા શહેરને પીડીલાઈટ દ્વારા અને સુંદર બનાવવામાં આવશે

Karnavati 24 News

ખેલ મહાકુંભ 3.0 નો ગાંધીનગરમાં રાંધેજા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલથી પ્રારંભ કરાયો

Gujarat Desk
Translate »