Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતરાજકારણ

ગાંધીનગર: મહિલાઓને હથિયાર આપવાના મુદ્દા બાદ ગેનીબેન ઠાકોરે ગૃહમાં ઉઠાવ્યો આ મુદ્દો, જાણો શું કહ્યું?

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે શુક્રવારે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગૃહમાં મહિલા અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે. ગેનીબેને મહિલા અનામતનો મુદ્દો ઉઠાવી વિધાનસભા અને લોકસભામાં 33 ટકા મહિલા અનામતની માગ કરી છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ ગેનીબેને મહિલા અનામત મુદ્દે આવાજ ઉઠાવી હતી.

મ1ળતી માહિતી મુજબ, શુક્રવારે વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગૃહમાં કહ્યું હતું કે, લોકસભા અને વિધાનસભામાં 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપવામાં આવે. તેમણે વધુમા કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર બંને જગ્યાએ ભાજપની સરકાર છે. છતાં આ અંગે નિર્ણય લેવાતો નથી. તેમણે કહ્યું કે, વિધાનસભા અને લોકસભામાં 33 ટકા મહિલા અનામત મામલે ચર્ચા કરી જલ્દી કાયદો બનાવવાની જરૂર છે.

અગાઉ મહિલાઓને હથિયાર આપવાની મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, ગેનીબેન ઠાકોર વિધાનસભામાં સમયાંતરે મહિલા સશક્તિકરણ માટેના મહત્ત્વના મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરતા હોય છે. પરંતુ, અગાઉ તેમણે મહિલાઓને હથિયાર આપવા મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આત્મસુરક્ષા માટે મહિલાને હથિયાર આપવાની મંજૂરીની માગ તેમણે કરી હતી. તેમણે સરકારને સવાલ કર્યો હતો કે, મહિલાઓની સુરક્ષા મામલે હથિયારની મંજૂરી આપવા માટે સરકારે શું નિર્ણય કર્યો? ત્યારે પ્રત્યુત્તરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનામાં તાત્કાલિક ન્યાય મળે છે. મહિલાઓ પર અત્યાચાર થશે તો આરોપીઓને કડક સજા કરવામાં આવશે.

આ પહેલા ધારાસભ્ય ગેનીબેને કહ્યું હતું કે, રાજ્યમાં હાલની સ્થિતિને જોતા બાળકીઓ માટે કરાટેની ટ્રેનિંગ પૂરતી નથી. કેટલાક વિસ્તારમાં હાલ પણ અસામાજિક તત્વો અને બુટલેગરોને કારણે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, પરંતુ જ્યાર પીડિત મહિલા ફરિયાદ કરવા જાય તો પોલીસ પણ કોઈ કાર્યવાહી કરતી નથી. આથી મહિલાઓ પર અત્યાચાર કરનારા લોકોનું મનોબળ વધે છે. તેમણે કહ્યું હતું કે, આવી ઘટનાઓમાંથી 90 ટકા ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી.

संबंधित पोस्ट

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આગામી તહેવારો ચેટીચાંદ અને ઈદ અનુસંધાને તમામ પોલીસ કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે વિડિઓ કોન્ફરન્સ યોજી

Gujarat Desk

એસ.ટી. માત્ર પરિવહન જ નહિ, લાખો ગુજરાતીઓના સપના સાકાર કરવાનું માધ્યમ બની: વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

લખનઉંમાં PM મોદીની મેગા રેલીની તૈયારી, ભાજપનો 10 લાખ લોકોની ભીડ ભેગી કરવાનો પ્લાન

Karnavati 24 News

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ સ્થિત વારી એનર્જીસ ખાતે નવા સોલર સેલ મેનુફેક્ચરીંગ યુનિટનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીના પરીક્ષણ માટેના ફાર્મનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અવલોકન કર્યું

Gujarat Desk

 ગુજરાત સરકારના માસિક ફાળાની ટકાવારી કેન્દ્ર સરકારના ફાળાની સરખામણીમાં ઓછી હોવાથી કર્મચારીની નિવૃત્તિ બાદ ઘણું ઓછુ પેન્શન મળવાથી જીવનસ્તરમાં પણ ઘટાડો થાય છે

Karnavati 24 News
Translate »