Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મળી આરોગ્ય વિભાગની ગવર્નીંગ બોડીની બેઠક

અરવલ્લી જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જીલ્લાની આરોગ્ય વિભાગની ગવર્નીંગ બોડીની બેઠક મળી. બેઠકમાં જિલ્લાના ઉચ્ચ ગુણવત્તા સભર કામ કરનાર PHCના મેડિકલ ઓફિસરોના ક્લેક્ટર ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. બેઠકમાં HMIS અંતર્ગત જિલ્લામાં થયેલા રજીસ્ટ્રેશન અને કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લામાં ચાલી રહેલા વેક્સીનેશન અંગે પણ સમિક્ષા કરવામાં આવી. જિલ્લાના મેટરનલ ડેથ અને તેના કારણો અંગે પણ વિચારવિમશ કરવામાં આવ્યો.

બેઠકમાં કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભાર્થીઓ અંગે ચર્ચા કરાઈ. આ ઉપરાંત કુપોષણ, જન્મ સમયે બાળકોના ઓછા વજન, બાળ મૃત્યુદર , એનીમિયાગ્રસ્ત માતાઓના ઈલાજ અંગે પણ સમિક્ષા કરાઈ.

બેઠકમાં કલેકટર દ્વારા મેટરનલ ડેથ કેસના પરિવારજનો સાથે વાત કરી. તેમને હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળી હતી કે કેમ એ અંગે પણ માહિતી મેળવી.  બેઠકમાં કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મિના, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના ગવર્નીંગ બોડી અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અરવલ્લી જિલ્લામાં આરોગ્ય લક્ષી ચાલતી કામગીરીની સમિક્ષા કરાઈ હતી, જેમાં આરોગ્યના કર્મચારીઓ તેમજ અધિકારીઓ જોડાયા હતા. આ સાથે જ જિલ્લા કલેક્ટરે જરૂરી સૂચનો પણ કર્યા હતા.

संबंधित पोस्ट

સુરત: યોગી આદિત્યનાથને ફરી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવા માટે ઓલપાડમાં મહાયજ્ઞનું કરાયું આયોજન.!

Karnavati 24 News

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યો ભ્રષ્ટાચાર મુદ્દે રાજીનામાં આપ્યા તેને કોર્પોરેટર પદેથી પણ હટાવવામાં આવે તેવી માંગ .

Karnavati 24 News

 દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ને લઇને એક પત્રકાર પરિષદ

Karnavati 24 News

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનુ ભાંડુત ગામ ગુજરાતનું સૌપ્રથમ ડિઝલપંપમુકત ગામ બન્યું

Karnavati 24 News

વેરા વસુલાતની ઝુંબેશમાં એક દિવસમાં 184 મિલકત સીલ

Karnavati 24 News

અમદાવાદમાં કોંગ્રેસની સંકલ્પ પરીવર્તન પદયાત્રામાં ઓછી હાજરી વચ્ચે ફિક્કો પ્રતિસાદ, કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ ગાયબ

Karnavati 24 News