મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને કોર્ટે જેલહવાલે કર્યા
રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ભાગેડુ જયસુખભાઈ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા બાદ પોલીસે કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા આરોપી જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે
ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને પોલીસે કોર્ટમાં રજુ કરી તા. ૦૮ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી જયસુખ પટેલની વિવિધ મુદે પૂછપરછ કરી તપાસ ચલાવી હતી અને આજે રિમાન્ડ પૂર્ણ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જ્યાં ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી ના હોય જેથી કોર્ટે આરોપી જયસુખ પટેલને જેલહવાલે કર્યા છે
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ભાગેડુ જયસુખભાઈ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા બાદ પોલીસે કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા આરોપી જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે