Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

કારએ બાઈકને ઠોકર મારતાં બાઈકમાં સવાર બે લોકો ઘવાયા એક યુવકનું થયું મોત

રાજકોટમાં અકસ્માતના બનાવો દિનપ્રતિદીન વધી રહ્યા છે. ત્યારે ગઇ કાલે સાંજે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ત્રિપલ સવારી બાઈકને કાર ચાલકે ઠોકર મારતાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાન ઘવાતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ ઉતરપ્રદેશના અને હાલ રાજકોટમાં નવાગામના રંગીલામાં રહેતા અને કારખાનામાં મજૂરીકામ કરતા ચંદ્રભાન રામશ્રીભાઈ ચૌહાણ (ઉ.વ.૨૧) અને અમિત ચૌહાણ તથા જયંત ચૌહાણ ત્રણેય બાઈક પર શાકભાજી લેવા માટે ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ ગ્રીનલેન્ડ ચોકડી પાસે અજાણ્યા કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેથી ત્રણેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘાયલ ચંદ્રભાન ચૌહાણે પ્રાથમિક સારવારમાં દમ તોડયો હતો. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં ચંદ્રભાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મૂળ ઉતરપ્રદેશના જોનપૂર જિલ્લાના રહેવાસી હોવાનુ અને ચાર ભાઈ અને એક બહેનમાં સૌથી નાના હોવાનુ જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.

संबंधित पोस्ट

ભારતમાં નકલી નોટોની જાળ ફેલાવી રહી છે ડી કંપની! NIAની તપાસમાં દાઉદની ગેંગની ભૂમિકા સામે આવી

Admin

વડોદરા: સ્કોર્ડન લીડર પતિ પર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- પિતા બનવા અસક્ષમ હોવા છતાં…

Admin

रतलाम के सैलाना कस्बे में माइक की आवाज कम करने को लेकर विवाद

Admin

बिहार में 12 हत्याओं का आरोपी लखनऊ के विभूतिखंड इलाके से गिरफ्तार

Admin

લખનઉમાં વિદ્યાર્થિનીનું ગળું દબાવી હત્યા, બાદમાં ઝાડીઓમાં ફેંકી દીધી લાશ

Admin

दिल्ली: स्ट्रीट वेंडर को बीएमडब्ल्यू ने मारी टक्कर, मौत; 3 गिरफ्तार

Admin