આજ રોજ ખાંભા તાલુકાના તાલડા ગામના પટેલ સમાજના નાગજીભાઈ વશરામભાઈ સાવલિયાનું તા.14/09/2022 ના નદીના પાણીમાં તણાતા અવસાન થયેલ હતુ…
જેની ડિઝાસ્ટર મેનેજમેન્ટમા જાણ થતા માનનીય કલેકટર સાહેબ અને માનનિય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન તળે માનનીય મુખ્યમંત્રી રાહત ફંડ મા દરખાસ્ત કરતા અક્સ્માતનો ભોગ બનનાર મૃતક પરીવારના સીધી લીટીના વારસદાર પાર્વતીબેન નાગજીભાઈ સાવલિયાને સરકારશ્રી દ્વારા સી.એમ.રાહત ફંડ માંથી 4.00 લાખ રૂપિયાની સહાય મંજુર થતા તાલુકા ભાજપના મહામંત્રી શ્રી એવા તાલડા ગામના સરપંચ રમેશભાઈ જાદવ,તાલુકા વિકાસ અધિકારી, તલાટીમંત્રી, ગામ આગેવાનોની ઉપસ્થિતિમાં ચેક અર્પણ કરવામાં આવ્યો. આ ભગીરથ કાર્યમા માનનિય સરપંચશ્રી રમેશભાઈ જાદવ અને તલાટીમંત્રી જયેશભાઈ પટેલ એ અંગત રસ લઈ મદદ કરેલ તેમજ આ કાર્યમા જોડાયેલ તમામ અધિકારી/કર્મચારીઓનો સરપંચશ્રી દ્વારા અંતઃકરણની લાગણીથી ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો….
ખાંભા તાલુકાના તાલડા ગામે પટેલ સમાજના નાગજીભાઈ વશરામભાઈ નો દુઃખદ અવસાન થયું હતું જ્યારે સરકારશ્રીને ગ્રંથમાંથી મળનાર વારસદારોને સરકાર દ્વારા સહાયરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો આ તો કે પરિવારને આર્થિક સકળામણ તેમજ મુખ્ય વ્યક્તિનું અવસાન થતા સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઇ અને રકમ મુદ્દાન આપવામાં આવ્યું