Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા જનહિતની લડાઈ શરૂ કરાશે

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા જનહિતની લડાઈ શરૂ કરાશે

આમ આદમી પાર્ટી ગુજરાતને ગત વિધાનસભા ચૂંટણીમાં 41 લાખથી પણ વધુ મતો મેળવી પાંચ ધારાસભ્ય સાથે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે ત્યારે તાજેતરમાં સંપન્ન થયેલ વિધાનસભા ચુંટણીમાં પ્રજાએ આમ આદમી પાર્ટીને જે સહયોગ આપ્યો છે તેને ધ્યાને લઈને મોરબીમાં પાર્ટી દ્વારા જનહિતની લડાઈ શરુ કરવામાં આવશે

મોરબી ખાતે આમ આદમી પાર્ટીના હોદેદારોની મીટીંગ સર્કીટ હાઉસ ખાતે મળી હતી જેમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને કચ્છ મોરબી ઝોન પ્રભારી કૈલાશદાન ગઢવી, મોરબીના ઉમેદવાર પંકજભાઈ રાણસરીયા, ટંકારાના ઉમેદવાર સંજય ભટાસણા સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

આ મિટિંગમાં જનતાના બંધારણીય અધિકારો, ખેડૂતના પવનચક્કી સહિતના પ્રશ્નો, જુલતાપુલ દુર્ઘટના અંગે સરકારના ખરાબ વલણની ચર્ચાઓ તેમજ ગૌચરની જમીનો પર થયેલ ગેરકાયદેસર દબાણ અંગે વિગતવાર ચર્ચાઓ કરી જનહિતમાં જરૂરી તમામ મુદ્દાઓ પર લડત શરૂ કરવા તેમજ ટૂંક સમયમાં જીલ્લાની નવી બોડી રચના કરવામાં આવશે તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું

આમ આદમી પાર્ટી ગુજરાતને ગત વિધાનસભા ચૂંટણીમાં 41 લાખથી પણ વધુ મતો મેળવી પાંચ ધારાસભ્ય સાથે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે ત્યારે તાજેતરમાં સંપન્ન થયેલ વિધાનસભા ચુંટણીમાં પ્રજાએ આમ આદમી પાર્ટીને જે સહયોગ આપ્યો છે તેને ધ્યાને લઈને મોરબીમાં પાર્ટી દ્વારા જનહિતની લડાઈ શરુ કરવામાં આવશે

संबंधित पोस्ट

વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓનું મહત્વનું પ્રદાનઃ

Karnavati 24 News

મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર 3 અને 4 જુલાઈના રોજ યોજાશે

Karnavati 24 News

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા રાજભા ઝાલા ભાજપમાં જોડાયા

Admin

‘અત્યારે તો હું કોંગ્રેસમાં છું’, હાઇકમાનને અલ્ટીમેટમ આપતા હાર્દિક પટેલે કહ્યુ- રસ્તો કાઢવો પડશે

Karnavati 24 News

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભરૂચના આમોદથી રૂ.૮૨૩૮.૯૦ કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષા રદ્દ કરી દેવાતા સુરત જીલ્લા યુથ કોંગ્રેસે આપ્યું આવેદન

Karnavati 24 News