શિક્ષણ વિભાગની બેઠક આજે મહત્વની ધોરણ 1માં પ્રવેશમાં વયમર્યાદાને નિયત કરવા મામલે મળી છે. આ અંગે મહત્વનો નિર્ણય આજે લેવાઈ શકે છે. જેમાં નવી શિક્ષણ નીતિ મુજબ 1 જૂન 2023ના રોજ ઓછામાં ઓછા 6 વર્ષની ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓને જ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. વર્ગ-1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમરના આ નિયમના અમલને લઈને 6 વર્ષની ઉંમરનો નિયમ રાખવો કે બદલવો તે અંગે નિર્ણય લઈ શકાય છે. બે મહિનાની છૂટ આપવી કે કેમ તેને લઈને તેમજ અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે.
શાળાનો સમય મોળો કરવામાં આવે તે માટે સૂચના આપવામાં આવશે ફરજીયાત શાળાના સ્વેટર પહેરવાના મામલે પણ સૂચનો અપાશે. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અધિકારીઓને તેમજ તમામ વિભાગોને પણ કેટલીક જરૂરી સૂચના આપી શકાય છે.
રાજકોટમાં વિદ્યાર્થિનીના મોત સંદર્ભે અપાઈ શકે છે સૂચના
ગઈકાલે રાજકોટમાં વિદ્યાર્થિનીના મોત બાદ શિક્ષણ વિભાગે રીપોર્ટ માંગ્યો છે. શાળાઓને આ મામલે મહત્વની સૂચના અપાઈ શકે છે. કેમ કે, કેટલીક શાળાઓએ મોડો સમય 1 કલાકનો આ ઠંડી વચ્ચે નથીટ કર્યો. નિશ્ચિત સ્વેટર પહેરવા મુદ્દે પણ સૂચના અપાઈ શકે છે. કેમ કે, શાળાના સ્વેટરથી બાળકો ઠંડીમાં વધુ ધ્રુજે છે. ત્યારે આ તમામ બાબતોનો લઈને યોગ્ય નિર્ણય લઈને જરૂરી સૂચનો આપવામાં આવી શકે છે.