Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

નવયુગ વિદ્યાલય પોરબંદરમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ – બહેનોને અગત્યની સુચના

નવયુગ વિદ્યાલય પોરબંદરમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ – બહેનોને અગત્યની સુચના આપતા જણાવવાનું કે, શાળામાં તેઓની હાજરી રોજ ઓનલાઇન અપડેટ કરવામાં આવે છે કે જે તેઓના આઇ.ડી.નંબર ઉપર રજીસ્ટર્ડ થાય છે. બોર્ડના નિયમોની જોગવાઇ મુજબ દરેક વિદ્યાર્થીની શાળામાં વર્ષ દરમ્યાન ૮૦ % હાજરી હોવી અનિવાર્ય છે. ધોરણ ૧૦ – ૧૨ના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરી સુધીની ૮૦% હાજરી ન થાય તો બોર્ડ દ્વારા પરીક્ષાની હોલ ટિકિટ ઇસ્યુ કરવામાં આવતી નથી અને વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે નહીં. ધોરણ ૯ અને ૧૧માં જે વિદ્યાર્થીની હાજરી ૮૦%થી ઓછી હોય, તેઓ વાર્ષિક પરીક્ષામાં ઓછી હાજરીના કારણે ઉપસ્થિત રહી શકશે નહીં. વિદ્યાર્થીની હાજરી બાબતની ગંભીરતા સમજીને પોતાના સંતાનને નિયમિત શાળાએ મોકલવા અને વર્ગશિક્ષકના સંપર્કમાં રહી તેના અભ્યાસનું અપડેટ લેતા રહેવું એ પ્રત્યેક વાલીની ફરજ છે. ગેરહાજરીના કારણે બોર્ડ દ્વારા જે કોઇ કાર્યવાહી કરવામાં આવે તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી અને તેના વાલીની રહે છે. શાળાકીય હાજરી બાબતે ખૂબ નિયમિત રહેવા તમામ વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

દ્વારકા – મંત્રી મૂળુબેરાએ માતાજીના મંદિર સુધી પદયાત્રા કરી, પૂરી કરી કાર્યકરની માનતા

Admin

પોરબંદર જીલ્લાના વિશ્રામ દ્વારકા શીંગડા ગ્રામ પંચાયત ખાતે ગામસભા યોજાય

Admin

ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વ- સહાયજુથ માટેના ‘કેશ ક્રેડિટ કેમ્પ’ ને રાજય શિક્ષણ મંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો

Admin

કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની હવામાનની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે માવઠું, ખેતીને નુકશાન

Admin

PM મોદીએ વખાણ કર્યા તો ગદગદ થયા તેમજેન ઈમના, બોલ્યા – ‘ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.’

Admin

વડું ગામે સરકારી જમીનમાં થયેલ ૧૧૨ થી વધું દબાણ દુર કરાયાં.

Admin
Translate »