નવયુગ વિદ્યાલય પોરબંદરમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ – બહેનોને અગત્યની સુચના આપતા જણાવવાનું કે, શાળામાં તેઓની હાજરી રોજ ઓનલાઇન અપડેટ કરવામાં આવે છે કે જે તેઓના આઇ.ડી.નંબર ઉપર રજીસ્ટર્ડ થાય છે. બોર્ડના નિયમોની જોગવાઇ મુજબ દરેક વિદ્યાર્થીની શાળામાં વર્ષ દરમ્યાન ૮૦ % હાજરી હોવી અનિવાર્ય છે. ધોરણ ૧૦ – ૧૨ના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરી સુધીની ૮૦% હાજરી ન થાય તો બોર્ડ દ્વારા પરીક્ષાની હોલ ટિકિટ ઇસ્યુ કરવામાં આવતી નથી અને વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે નહીં. ધોરણ ૯ અને ૧૧માં જે વિદ્યાર્થીની હાજરી ૮૦%થી ઓછી હોય, તેઓ વાર્ષિક પરીક્ષામાં ઓછી હાજરીના કારણે ઉપસ્થિત રહી શકશે નહીં. વિદ્યાર્થીની હાજરી બાબતની ગંભીરતા સમજીને પોતાના સંતાનને નિયમિત શાળાએ મોકલવા અને વર્ગશિક્ષકના સંપર્કમાં રહી તેના અભ્યાસનું અપડેટ લેતા રહેવું એ પ્રત્યેક વાલીની ફરજ છે. ગેરહાજરીના કારણે બોર્ડ દ્વારા જે કોઇ કાર્યવાહી કરવામાં આવે તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી અને તેના વાલીની રહે છે. શાળાકીય હાજરી બાબતે ખૂબ નિયમિત રહેવા તમામ વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી.