Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

નવયુગ વિદ્યાલય પોરબંદરમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ – બહેનોને અગત્યની સુચના

નવયુગ વિદ્યાલય પોરબંદરમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ – બહેનોને અગત્યની સુચના આપતા જણાવવાનું કે, શાળામાં તેઓની હાજરી રોજ ઓનલાઇન અપડેટ કરવામાં આવે છે કે જે તેઓના આઇ.ડી.નંબર ઉપર રજીસ્ટર્ડ થાય છે. બોર્ડના નિયમોની જોગવાઇ મુજબ દરેક વિદ્યાર્થીની શાળામાં વર્ષ દરમ્યાન ૮૦ % હાજરી હોવી અનિવાર્ય છે. ધોરણ ૧૦ – ૧૨ના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરી સુધીની ૮૦% હાજરી ન થાય તો બોર્ડ દ્વારા પરીક્ષાની હોલ ટિકિટ ઇસ્યુ કરવામાં આવતી નથી અને વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે નહીં. ધોરણ ૯ અને ૧૧માં જે વિદ્યાર્થીની હાજરી ૮૦%થી ઓછી હોય, તેઓ વાર્ષિક પરીક્ષામાં ઓછી હાજરીના કારણે ઉપસ્થિત રહી શકશે નહીં. વિદ્યાર્થીની હાજરી બાબતની ગંભીરતા સમજીને પોતાના સંતાનને નિયમિત શાળાએ મોકલવા અને વર્ગશિક્ષકના સંપર્કમાં રહી તેના અભ્યાસનું અપડેટ લેતા રહેવું એ પ્રત્યેક વાલીની ફરજ છે. ગેરહાજરીના કારણે બોર્ડ દ્વારા જે કોઇ કાર્યવાહી કરવામાં આવે તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી અને તેના વાલીની રહે છે. શાળાકીય હાજરી બાબતે ખૂબ નિયમિત રહેવા તમામ વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

રાજકોટ: નાફેડની ઓછી કિંમત સામે ખેડૂતોમાં રોષ, ડુંગળીની ખરીદીને લઈ હવે રાજનીતિ ગરમાઇ!

Karnavati 24 News

ગરબાડા ના માજી CRPF જવાનું અકસ્માત બાદ લાંબી સારવાર દરમિયાન મોત

Admin

બાટવા શહેરમાં ભારે ટ્રાફિક સમસ્યા લોકો રામ ભરોસે, તંત્ર મૂક પ્રેક્ષક

Admin

વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને અમરેલી તાલુકાના ગામોમાં લોક દરબાર યોજાયો —

Admin

પાકિસ્તાનનું ડ્રોન ષડયંત્ર ફરી નિષ્ફળ, BSFએ જપ્ત કર્યો હથિયારોનો મોટો કન્સાઈનમેન્ટ

Admin

Pele Funeral: અલવિદા પેલે… આંખમાં આસૂ સાથે ફૂટબોલ લિજેન્ડને અપાઇ અંતિમ વિદાય

Admin