Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

ગૂજરાત વિદ્યાપીઠ વિવાદ – આજે 22માંથી 8 ટ્રસ્ટીઓના રાજીનામાં સ્વિકારવામાં આવ્યા

ગૂજરાત વિદ્યાપીઠમાં ફરીથી ટ્રસ્ટીઓના મામલે વિરોધ જે થયો હતો તેમાં અપાયેલા 8 રાજીનામાનો સ્વિકાર કરવામાં આવ્યો છે. જેથી ફરી વિવાદ સમી જશે તે વિવાદ વકરશે. કેમ કે, છેલ્લા કેટલાક દિવસથી કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂક બાદ નારાજગી ક્યાંકને ક્યાંક સામે આવતી હતી. જેમાં વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળામાં 22 ટ્રસ્ટીઓ સામેલ છે જેમાંથી 8 ટ્રસ્ટીઓએ વિરોધ નોંધાવ્યો હતો જેમના રાજીનામાંનો સ્વિકાર કરવામાં આવ્યો છે.

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે આજે મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામાજીક સેવાનું કાર્ય કરતા મનસુખભાઈ સલ્લાનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પછી ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. જો કે, આ જ મોકા અગાઉ રાજીનામા આપનાર 8 ટ્રસ્ટીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતની નિમણૂક અંગેના નિર્ણયનો વિરોધ કર્યો હતો જ્યારે કેટલાક ટ્રસ્ટીઓએ સમર્થન કર્યું હતું. આચાર્ય દેવવ્રત ગાંધી વિચારધારાના સાથેના ના હોવાનું તેમનું માનવું છે. જેથી ટ્રસ્ટીઓએ વિરોધ કર્યો હતો અને રાજીનામું આપ્યું હતુ. જોકે, તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. જો કે, 4 નવા ટ્રસ્ટીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. હર્ષદ પટેલ, ડીપી ઠાકર, રાજશ્રી બિરલા અને ગફૂર બિલખીયા વિદ્યાપીઠના નવા ટ્રસ્ટી બન્યા.

संबंधित पोस्ट

कड़ाके की ठंड की वजह से काम करने में आ रही है दिक्कतें, लेकिन घर चलाने के लिए काम करना है जरूरी

Admin

દ્વારકા – મંત્રી મૂળુબેરાએ માતાજીના મંદિર સુધી પદયાત્રા કરી, પૂરી કરી કાર્યકરની માનતા

Admin

मध्य प्रदेश: खेलो इंडिया की तैयारी हुई पूरी, एथलीटों के गौरव के लिए मंच पूरी तरह तैयार

Admin

૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ લક્ષ્મીનગર બ્રિજને હજુ ૧૧ માસ થયા ત્યાં જોઇન્ટ્સમાંથી પાણી ટપકવાની ફરિયાદ

Admin

રાજકોટના મુસાફરો માટે ખરાબ સમાચાર: બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગનાં કામના કારણે રાજકોટની ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા

Admin

દાહોદની શાળાની બેદરકારીના કારણે 8 વર્ષીય વિધ્યાર્થીનીનું મોત : જવાબદારી સામે કાર્યવાહીની માંગ

Admin