Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

ગૂજરાત વિદ્યાપીઠ વિવાદ – આજે 22માંથી 8 ટ્રસ્ટીઓના રાજીનામાં સ્વિકારવામાં આવ્યા

ગૂજરાત વિદ્યાપીઠમાં ફરીથી ટ્રસ્ટીઓના મામલે વિરોધ જે થયો હતો તેમાં અપાયેલા 8 રાજીનામાનો સ્વિકાર કરવામાં આવ્યો છે. જેથી ફરી વિવાદ સમી જશે તે વિવાદ વકરશે. કેમ કે, છેલ્લા કેટલાક દિવસથી કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂક બાદ નારાજગી ક્યાંકને ક્યાંક સામે આવતી હતી. જેમાં વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળામાં 22 ટ્રસ્ટીઓ સામેલ છે જેમાંથી 8 ટ્રસ્ટીઓએ વિરોધ નોંધાવ્યો હતો જેમના રાજીનામાંનો સ્વિકાર કરવામાં આવ્યો છે.

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે આજે મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામાજીક સેવાનું કાર્ય કરતા મનસુખભાઈ સલ્લાનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પછી ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. જો કે, આ જ મોકા અગાઉ રાજીનામા આપનાર 8 ટ્રસ્ટીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતની નિમણૂક અંગેના નિર્ણયનો વિરોધ કર્યો હતો જ્યારે કેટલાક ટ્રસ્ટીઓએ સમર્થન કર્યું હતું. આચાર્ય દેવવ્રત ગાંધી વિચારધારાના સાથેના ના હોવાનું તેમનું માનવું છે. જેથી ટ્રસ્ટીઓએ વિરોધ કર્યો હતો અને રાજીનામું આપ્યું હતુ. જોકે, તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. જો કે, 4 નવા ટ્રસ્ટીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. હર્ષદ પટેલ, ડીપી ઠાકર, રાજશ્રી બિરલા અને ગફૂર બિલખીયા વિદ્યાપીઠના નવા ટ્રસ્ટી બન્યા.

संबंधित पोस्ट

वाटर एंड पावर कंसल्टेंसी सर्विसेज लिमिटेड (WAPCOS) Recruitment 2023 ने Experts पदों के लिए भर्ती की प्रक्रिया शुरू, जानिए योग्यता और आवेदन प्रक्रिया।

Admin

मध्यप्रदेश: भोपाल, इंदौर समेत कई जिलों में ठंड का कहर जारी, इस जिलें में हार्ट अटैक से हुई 5 की मौत

Admin

રાજકોટમાં ૧૦ એકરમાં બનેલી સાયન્સ સીટીમાં અલગ અલગ છ થીમ આકર્ષણનું કેન્દ્ર

Admin

અમદાવાદ ના નરોડા માં આવેલ કર્ણાવતી ટાટા મોટર્સ ની તકલીફો માં થઈ શકે છે વધારો…

Admin

ધ્રાંગધ્રાના સોની તલાવડી વિસ્તારમા સામાન્ય બાબતમાં એક્સ આર્મીમેનના પરીવાર પર હુમલામાં વધુ ૦૫ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા

Admin

બાટવા શહેરમાં ભારે ટ્રાફિક સમસ્યા લોકો રામ ભરોસે, તંત્ર મૂક પ્રેક્ષક

Admin
Translate »