Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જુનાગઢ વિલીંગ્ડન ડેમ તોપના 7 ગોળા ખમીનેય હજુ પણ અડીખમ છે

જુનાગઢ શહેરની વસ્તી જ્યારે 40,000 ની હતી ત્યારે એટલે કે 1936 ની સાલમાં નવાબી શાસન વખતે દાતારના ડુંગર નજીક બે પહાડીઓને જોડી બનાવવામાં આવેલો બિલ્ડીંગડન ડેમ આજે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે વરસાદી માહોલમાં ડેમની ચદર પડતી જોવા હજારો લોકો ઉમટી પડે છે આ ડેમ જેને બનાવ્યો એ મુખ્ય કોન્ટ્રાક્ટર વસ્તાભાઈ લાધાભાઈ ચાવડા માત્ર સાત ચોપડી જ ભણેલા હતા તેના ઉપર રાવ સાહેબ ઠાકરશી અને રાવબહાદુર ગાંધી એન્જિનિયર હતા.વસતાભાઈએ નવાબને ચેલેન્જ આપી હતી કે જળાશયની મજબૂતાઈ ચકાસવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે ડેમ સાઈટ ઉપર જઈને 7 તોપ દ્વારા તેના ઉપર ગોળા ઝિકવામાં આવે જો કાંકરી પણ ખરે તો ડેમને તોડી નાખવાનો ખર્ચ પણ કોન્ટ્રાક્ટરે આપવાનો આ પછી મજબૂતાઈ ચકાસવા માટે ડેમના મુખ્ય ભાગ ઉપર નવા બે ખરેખર તોપના 7 ગોળા ઝિંકયા છતાં કાંકરી ખરી નહીં આથી લોકોને હાશકારો થયો અને નવાબ દ્વારા બંને કોન્ટ્રાક્ટર અને ઈજનેરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ ડેમ બનાવવા પાછળ ₹8,00,000 એટલે કે 5.5 મહિનાની આવક જળાશય બનાવવા પાછળ ખર્ચી નાખવામાં આવી હતી. માત્ર 40,000 ની વસ્તીને પાણી મળી રહે તે માટે બનાવવામાં આવ્યો હતો આ ડેમ આજે એક લાખથી વધુ લોકોને પાણી પૂરું પાડે છે

संबंधित पोस्ट

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે જીવદયા પ્રેમી દ્વારા અનોખી સેવા કરી જીવ બચાવ્યો

Admin

ચાણસ્મા મોઢેરા ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર રીતે લીલાછમ ખીજડા ના વૃક્ષોનું નિકંદન, ટ્રેક્ટર વનવિભાગના હવાલે કરાયું

Karnavati 24 News

જામનગરમાં જનજીવન ઠુંઠવાયું, તાપમાનનો પારો ૧૧ ડીગ્રી પર

Karnavati 24 News

સુતત માં બોગસ કબ્જા રસીદ તૈયાર કરી જમીન વહેંચી મારનાર ની કતારગામ પોલીસે ધરપકડ કરી

Karnavati 24 News

 આઈઓસી કંડલાથી પાણીપત સુધીની નવી પાઇપલાઇન નાખશે

Karnavati 24 News