Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જુનાગઢ વિલીંગ્ડન ડેમ તોપના 7 ગોળા ખમીનેય હજુ પણ અડીખમ છે

જુનાગઢ શહેરની વસ્તી જ્યારે 40,000 ની હતી ત્યારે એટલે કે 1936 ની સાલમાં નવાબી શાસન વખતે દાતારના ડુંગર નજીક બે પહાડીઓને જોડી બનાવવામાં આવેલો બિલ્ડીંગડન ડેમ આજે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે વરસાદી માહોલમાં ડેમની ચદર પડતી જોવા હજારો લોકો ઉમટી પડે છે આ ડેમ જેને બનાવ્યો એ મુખ્ય કોન્ટ્રાક્ટર વસ્તાભાઈ લાધાભાઈ ચાવડા માત્ર સાત ચોપડી જ ભણેલા હતા તેના ઉપર રાવ સાહેબ ઠાકરશી અને રાવબહાદુર ગાંધી એન્જિનિયર હતા.વસતાભાઈએ નવાબને ચેલેન્જ આપી હતી કે જળાશયની મજબૂતાઈ ચકાસવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે ડેમ સાઈટ ઉપર જઈને 7 તોપ દ્વારા તેના ઉપર ગોળા ઝિકવામાં આવે જો કાંકરી પણ ખરે તો ડેમને તોડી નાખવાનો ખર્ચ પણ કોન્ટ્રાક્ટરે આપવાનો આ પછી મજબૂતાઈ ચકાસવા માટે ડેમના મુખ્ય ભાગ ઉપર નવા બે ખરેખર તોપના 7 ગોળા ઝિંકયા છતાં કાંકરી ખરી નહીં આથી લોકોને હાશકારો થયો અને નવાબ દ્વારા બંને કોન્ટ્રાક્ટર અને ઈજનેરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ ડેમ બનાવવા પાછળ ₹8,00,000 એટલે કે 5.5 મહિનાની આવક જળાશય બનાવવા પાછળ ખર્ચી નાખવામાં આવી હતી. માત્ર 40,000 ની વસ્તીને પાણી મળી રહે તે માટે બનાવવામાં આવ્યો હતો આ ડેમ આજે એક લાખથી વધુ લોકોને પાણી પૂરું પાડે છે

संबंधित पोस्ट

વડાપ્રધાનશ્રીના હસ્તે અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું લોન્ચિંગ

Gujarat Desk

સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ, આજે હત્યારો ફેનિલ દંડાશે,કોર્ટ સંભળાવશે ચુકાદો,પરિવારે આરોપીની કડક સજાની કરી છે માંગ.!

Karnavati 24 News

રાજકોટથી દ્વારકા દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ ગોમતી નદીમાં ફસાયા બાદ બચાવ

Gujarat Desk

પ્રાંતિજના આમોદરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્નોત્સવ 2025 યોજાયો

Gujarat Desk

બુલેટ ટ્રેનની કામગીરી અર્થે મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલ્વે ઓવરબ્રિજ આજથી આગામી 10 દિવસ માટે બંધ રહેશે

Gujarat Desk

CCTV વાઈરલ કરવાના કેસ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની દિલ્હીથી ઝડપી પાડ્યો

Gujarat Desk
Translate »