સીએ ફાઉન્ડેશન, ઈન્ટર, ફાઈનલના કોર્સમાં માગને અનુરૂપ ફેરફાર કરાશે. નવા પરિરૂપ પ્રમાણે ઈન્ટરમીડિએટ બાદ સીએની સળંગ આર્ટિકલશિપનો સમયગાળો બે વર્ષનો કરાશે. આ આર્ટિકલશિપ કર્યા બાદ જ વિદ્યાર્થી ફાઇનલ કોર્સની પરીક્ષા આપી શકે છે. કોર્સમાં કરેલા ફેરફારની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે.
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ ધ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ)નાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે કમ્પ્યુટરાઈઝેશન બેઝ ઇકોનોમીના યુગમાં અને નોલેજ સીએના કોર્સમાં ફેરફાર કરાયા છે. એક વર્ષ પહેલાં ઇન્સ્ટિટ્યૂટે કોર્સમાં ફેરફારની કાર્યવાહી શરૂ કરી હતી. આ માટે દેશના સીએ, વિદ્યાર્થીઓ, શિક્ષણશાસ્ત્રીઓ તથા નાગરિકોનો અભિપ્રાય મગાવવામાં આવ્યો હતો.
સીએ ફાઉન્ડેશન, ઇન્ટ૨, ફાઈનલ લેવલના કોર્સમાં છ જેટલા પ્રશ્નપત્રમાં ટેક્નોલોજી, એથિક્સ સહિતના પાસાંનો સમાવેશ * સીએ ઇન્ટરમીડિએટની પરીક્ષા પાસ હોય, પરંતુ ફાઇનલ મોડ્યુલની પરીક્ષા પાસ કરી ન હોય તેઓને બીએએ સર્ટિફિકેટ અપાશે. * સીએ ફાઉન્ડેશન, ઇન્ટરમીડિએટ, ફાઇનલ ઉપરાંત ચાર પ્રશ્નપત્રોને આવરી લેતુ સેલ્ફ ટેસ્ટ મોડ્યુલ (એસટીએમ), આ ઉપરાંત ઇન્ટરમીડિએટ પરીક્ષા પાસ કરી હોય, પરંતુ ફાઇનલ પરીક્ષા પાસ ન કરી હોય તેવા વિદ્યાર્થીઓને બીએએ (બિઝનેસ એકાઉન્ટિંગ એસોસિએટ)નું સર્ટિફિકેટ આપવાનો પ્રસ્તાવ કરાયો છે.
સીએના કોર્સમાં આ પહેલાં 2017ની સાલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત સીએના કોર્સમાં ઇલેક્ટિવ કોર્સ દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓપન બુક્સ એક્ઝામ પણ લાગુ કરવામાં આવી હતી. આ કોર્સમાં કરાયેલા ફેરફાર અંતર્ગત છ વર્ષ બાદ 2023ની સાલથી હવે કોર્સમાં ફેરફાર થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર તરફથી સીએના નવા કોર્સની મંજૂરી મળશે, ત્યાર બાદ નવેમ્બર-2023ની પરીક્ષા અંતર્ગત દેશના આશરે આઠ લાખ વિદ્યાર્થીઓને આ નવો કોર્સ લાગુ પડશે.