Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કોંગ્રેસની સભામાં આખલો ઘુસી જવાની ઘટના બાદ આજે ચીફ ઓફિસરે તપાસના આદેશ આપ્યા

ગઈકાલે મહેસાણામાં કોંગ્રેસની સભા દરમિયાન સભાની અંદર લોકોની વચ્ચે આખલો ઘુસી જવાની ઘટના બની હતી. આ ધટના બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરે તપાસના આદેશ આપ્યા છે.

ઢોર પકડનાર ટીમને નોટીસ પણ મોકલવામાં આવી છે. સભા પૂરી થઈ ત્યાં સુધી ઢોર પકડવાની ટીમ કેમ ઊભી ન રહી? તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. તેનો જવાબ પણ માંગવામાં આવ્યો છે. ચીફ ઓફીસરો આ સમગ્ર મામલે બ્રાન્ચ ઓફિસર પાસેથી સમગ્ર મામલાનો રિપોર્ટ પણ માંગ્યો છે.

વિપક્ષના નેતાએ કહ્યું કે સીએમ અશોક ગેહલોતની પ્રોટોકોલ સિસ્ટમમાં ખામી છે. ગઈકાલે સભાની અંદર અચાનક જ સભામાં આખલો ઘુસી જતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે આ બળદને મોકલ્યો છે.

રખડતા ઢોરનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે. તેમાં પણ મહેસાણા જિલ્લામાં આ બીજીવાર આવું બન્યું છે. જેમાં અગાઉ ચૂંટણીની તારીખો પહેલા જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના કાર્યક્રમનું આયોજન હતું ત્યારે પણ પશુ તેમના કાર્યક્રમમાં ઘુસી આવ્યું હતું અને તેના કારણે નિતીન પટેલના ધૂંટણમાં ઈજા પહોંચી હતી ત્યારે કોંગ્રેસની સભામાં પણ આ પ્રકારે આખલો ઘુસવાની ઘટના બની હતી. જેમાં કોઈ પર હુમલો કર્યો હતો તો મોટી મુશ્કેલી સર્જાઈ શકી હોત.

संबंधित पोस्ट

અમદાવાદ બાવળા ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા મહામંત્રી ઉપસ્થિત રહ્યા

Karnavati 24 News

રાષ્ટ્રપતિ ભવન-પીએમ આવાસમાંથી 1000 થી વધુ ઐતિહાસિક કલાકૃતિઓ ગુમ, વિક્રમસિંઘેએ આ વાત કહી

Karnavati 24 News

આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં શાંતિ-સલામતી સાથે ચૂંટણીઓ યોજાય એ માટે બેઠક યોજાઇ

Admin

વસૂલી અને ભ્રષ્ટાચાર યુક્ત સિનિયર પોલીસ અધિકારીઓની ધરપકડ કરવાની માગ સાથે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર

Karnavati 24 News

ખડગેની જીત સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસના ત્રણ પ્રવક્તાએ રાજીનામું આપીને સમગ્ર પક્ષને આપ્યો ખાસ સંકેત 

96 લાઠી વિધાનસભા ના કરિયાણા ગામે જન સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

Karnavati 24 News