Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કોંગ્રેસની સભામાં આખલો ઘુસી જવાની ઘટના બાદ આજે ચીફ ઓફિસરે તપાસના આદેશ આપ્યા

ગઈકાલે મહેસાણામાં કોંગ્રેસની સભા દરમિયાન સભાની અંદર લોકોની વચ્ચે આખલો ઘુસી જવાની ઘટના બની હતી. આ ધટના બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરે તપાસના આદેશ આપ્યા છે.

ઢોર પકડનાર ટીમને નોટીસ પણ મોકલવામાં આવી છે. સભા પૂરી થઈ ત્યાં સુધી ઢોર પકડવાની ટીમ કેમ ઊભી ન રહી? તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. તેનો જવાબ પણ માંગવામાં આવ્યો છે. ચીફ ઓફીસરો આ સમગ્ર મામલે બ્રાન્ચ ઓફિસર પાસેથી સમગ્ર મામલાનો રિપોર્ટ પણ માંગ્યો છે.

વિપક્ષના નેતાએ કહ્યું કે સીએમ અશોક ગેહલોતની પ્રોટોકોલ સિસ્ટમમાં ખામી છે. ગઈકાલે સભાની અંદર અચાનક જ સભામાં આખલો ઘુસી જતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે આ બળદને મોકલ્યો છે.

રખડતા ઢોરનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે. તેમાં પણ મહેસાણા જિલ્લામાં આ બીજીવાર આવું બન્યું છે. જેમાં અગાઉ ચૂંટણીની તારીખો પહેલા જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના કાર્યક્રમનું આયોજન હતું ત્યારે પણ પશુ તેમના કાર્યક્રમમાં ઘુસી આવ્યું હતું અને તેના કારણે નિતીન પટેલના ધૂંટણમાં ઈજા પહોંચી હતી ત્યારે કોંગ્રેસની સભામાં પણ આ પ્રકારે આખલો ઘુસવાની ઘટના બની હતી. જેમાં કોઈ પર હુમલો કર્યો હતો તો મોટી મુશ્કેલી સર્જાઈ શકી હોત.

संबंधित पोस्ट

અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીની ઉપસ્થિતીમાં જામનગર શહેર-જિલ્લા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર શહેર-જિલ્લા સંગઠનની સમીક્ષા બેઠક જામનગર ખાતે યોજાઈ હતી.

Karnavati 24 News

 જસુણી ગ્રામ પંચાયતમાં મતદાન પેટીમાંથી વધારે મતપત્ર નીકળેલ હોવાના આક્ષેપો સાથે ફરી મતદાન કરાવવા મામલતદારને રજુઆત

Karnavati 24 News

બીજા તબક્કાની 93 બેઠકો માટે પ્રચાર આજથી બંધ. . . .

Admin

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષા રદ્દ કરી દેવાતા સુરત જીલ્લા યુથ કોંગ્રેસે આપ્યું આવેદન

Karnavati 24 News

પૂર્વ પ્રધાનમંત્રી અટલજી, અડવાણીજી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસે બનાવેલી શાળાઓમાં જ ભણ્‍યા છે : કોંગ્રેસ

Karnavati 24 News

गुजरात चुनाव: आचार संहिता उल्लंघन मामला, चुनाव आयोग बना ने पीएम को दी क्लीनचीट

Admin
Translate »