Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પૂર્વ પ્રધાનમંત્રી અટલજી, અડવાણીજી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસે બનાવેલી શાળાઓમાં જ ભણ્‍યા છે : કોંગ્રેસ

સત્તામાં બેઠેલાઓ દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે ૬૦ વર્ષમાં કોંગ્રેસે કંઈ જ કર્યુ નથી. તેઓને આકરો જવાબ આપતાં ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ૧૯૬૦માં ગુજરાતનો પાયો નંખાયો ત્‍યારથી આજ સુધીમાં તમામ લોકો કોંગ્રેસે બનાવેલી શાળાઓમાં જ ભણ્‍યા છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલજી, અડવાણીજી અને હાલના પ્રધાનમંત્રીએ પણ કોંગ્રેસે બનાવેલી શાળાઓમાં શિક્ષણ લીધું હશે.

આજે વિધાનસભા ગૃહમાં રાજ્‍યના શિક્ષણમંત્રીશ્રી દ્વારા લવાયેલ ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક-ર૦રરમાં વિચારો રજુ કરતા પૂર્વ વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું.
 તેમજ કેટલાય ઉદ્યોગપતિઓ, ડોકટરો, એન્‍જીનીયરો, વૈજ્ઞાનિકો વગેરે લોકોએ કોંગ્રેસના શાસનમાં બનેલી શાળામાં જ અભ્‍યાસ કર્યો હશે. કોંગ્રેસના શાસનમાં સરસ્‍વતીના મંદિરોમાં જ્ઞાનની પૂજા થતી હતી, આજે ભાજપના રાજમાં જ્ઞાનનો વેપાર થાય છે.
આજે સમયની જરૂરિયાત પ્રમાણે સૌને સસ્‍તું, સરળતાથી અને સંસ્‍કારી શિક્ષણ મળવું જોઈએ. ગુણવત્તાયુકત શિક્ષણ મળે, જ્ઞાનવર્ધક શિક્ષણ મળે, ચોપડીયા જ્ઞાનથી દેશ કે રાજ્‍યનો વિકાસ નહીં થાય. રાજ્‍યની શાળા-કોલેજોમાં ફી નિયંત્રણ કાયદાથી યોગ્‍ય રીતે ફી નિયંત્રણ કરવામાં આવી હોત તો ગરીબ, પછાત, મજૂર, ખેડૂતના દીકરાઓ કે જેમની ફી ભરવાનો વેંત નથી એવા બાળકો વધુ અભ્‍યાસ કરી શકત.

संबंधित पोस्ट

કેમ્બ્રિજ યુનિવર્સિટીએ રાહુલ ગાંધીને આપ્યું આમંત્રણ, ભારત-ચીન સંબંધો પર આપશે ભાષણ

Admin

રાષ્ટ્રપતિ ભવન ખાતે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની પીએમ મોદી સાથે મુલાકાત, રશિયા-યૂક્રેન યુદ્ધ પર થશે ચર્ચા

Admin

રોડ શો LIVE – દિલ્હી અને પંજાબ એક થઈ ગયું અમારી તૈયારી છે હવે ગુજરાતની – ભગવંત માન પંજાબના સીએમ

Karnavati 24 News

જામનગર કોગ્રેસે બેરોજગારી અને પેપર લીક બાબતે રેલી કાઢી

Karnavati 24 News

 દાસજ ગામમાં પશુપાલકોને પશુઓમા દૂધ ઉત્પાદન વધારવાના તેમજ નફાકારક પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી તેમજ માર્ગદર્શન

Karnavati 24 News

એક બાજુ રાજ્ય સરકાર દ્વારા કોરોના ને લઇ કડક કાયદા કર્યા, તો બીજી બાજુ એજ રાત્રિએ ભાજપના નેતાની ઉપસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા

Karnavati 24 News
Translate »