પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ ચાણય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટીના સાધનોના ઉપયોગ અંગે સમજ અપાઇ હતી. આજના આ વૈશ્વિકરણના સમયમાં દરેક ક્ષેત્રમાં દરેક વસ્તુની જાણકારી હોવી જરૂરી છે. આપણે ઘણી વખત જોઇએ છીએ કે કેટલીક વાર અનેક જગ્યાઓ પર આગ લાગવાના બનાવ બનતા હોય છે અનેઘણી વખત આ આગ વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરે છે. આવા સમયે આ આગને કેવી રીતે કાબુમાં રાખવી તે ખૂબ જ જરૂરી છે. આ આગને કાબુમાં રાખવા માટે અલગ-અલગ અગ્નિશામકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
પોરબંદરના છાંયા વિસ્તારમાં આવેલી ચાણક્ય વિદ્યાલચમાં આ અગ્નિશામકો નો ઉપયોગ કેવી રીતે કરવો તેની લાઈવ મોડ્રીલ યોજવામાં આવી હતી તેમાં વપરાતા ફાયર ઇન્સ્ટિટર અને ફાયરબોલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની લાઈવ ડેમો દ્વારા સમજણ આપવામાં આવી હતી. આ ડેમોમાં મહેશભાઈ ગઢવી તથા ચેતનભાઈ ગઢવી દ્વારા તમામ માહિતી વિસ્તારપૂર્વક આપવામાં આવી હતી. આ મોડ્રિલ યોજવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ આવા વિકટ સમયે આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે હતો. આ તબક્કે શાળાના ટ્રસ્ટી કમલભાઈ પાઉં, હિતેનભાઈ પાઉં તેમજ અનિલભાઇ બાપોદરા તેમજ શાળાના આચાર્ય દ્વારા આવેલા બન્ને મહેમાનોનો વિદ્યાર્થીઓનો તેમજ સમગ્ર સ્ટાગણનો હ્રચપૂર્વક આભાર માન્યો હતો.