Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ગિરનારની લીલી પરિક્રમા કરવા ભવનાથમાં ત્રણ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા

4 નવેમ્બર ની મધ્યરાત્રીથી શરૂ થાય તે પહેલા ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે ભાવિકો ઉમટી પડ્યા છે અત્યારથી જ ભાવિકોનો અવરિત પ્રવાહ ભવનાથ ભણી આવી રહ્યો છે પરિણામે ભવનાથમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે દરમિયાન શિવરાત્રી મેળો અને લીલી પરિક્રમામાં મોટું અન્ન ક્ષેત્ર ચલાવતા ખોડીયાર રાસ મંડળના હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે અંદાજે ત્રણ લાખથી વધુ લોકો લીલી પરિક્રમા કરવા માટે આવી ગયા છે પરંતુ વન વિભાગ એ ગેટ ખોલ્યા ન હોય આવા ભાવિકોએ ભવનાથમાં પડાવ નાખ્યો છે અમારા ખોડીયાર રાસ મંડળ દ્વારા બુધવાર સાંજેથી જ શેરનાથબાપુના આશ્રમ પાછળની અમારી જગ્યામાં તેમજ બોરદેવી પાસે અન્નક્ષેત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે દરમિયાન નિર્ભય ભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે ભીડ વધી જતા સોનાપુરી સ્મશાનથી તમામ વાહનોનો પ્રવેશ અટકાવી દેવાયો છે પરિણામે ભાવિકોને ચાલીને જવું પડી રહ્યું છે સોનાપુરી થી પરિક્રમા રૂટ સુધીનું અંદાજે 3.5 કિ.મી જેટલું અંતર થાય છે પરિણામે ખાસ કરીને મહિલાઓ બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

संबंधित पोस्ट

જામનગરમાં છાતીમાં દુખાવો ઉપડતા વૃદ્ધનું મોત

Karnavati 24 News

ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ઠંડી 3 ડિગ્રી વધતાં પારો 8 ડિગ્રીએ પહોંચ્યો, હજુ 3 ડિગ્રી વધે તો 10 વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે

Karnavati 24 News

ઑક્સફેમ ઇન્ડિયાનો‘ઇન્ડિયા ઇનઇક્વિલિટી રિપોર્ટ મુજબ ડિજિટલ વિભાજનને કારણે મહિલાઓ, બેરોજગાર, ગ્રામજનો લેટેસ્ટ ટેક્નોલોજીથી મર્યાદિત રહી ગયાં

Admin

 સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોની તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Karnavati 24 News

પોરબંદરમાં નવા ઉદ્યોગોનો સૂર્યોદય ક્યારે થશે ? : પોરબંદરના જી.આઇ.ડી.સી.માં ધમધમતા ઉદ્યોગો મરણ પથારીએ

Admin

અમદાવાદમાં જીએસટી ક્રોપ સાયન્સ કંપનીમાં એમોનિયા લીકેજ થતા ભારે અફરાતફરી

Karnavati 24 News