Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ગિરનારની લીલી પરિક્રમા કરવા ભવનાથમાં ત્રણ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા

4 નવેમ્બર ની મધ્યરાત્રીથી શરૂ થાય તે પહેલા ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે ભાવિકો ઉમટી પડ્યા છે અત્યારથી જ ભાવિકોનો અવરિત પ્રવાહ ભવનાથ ભણી આવી રહ્યો છે પરિણામે ભવનાથમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે દરમિયાન શિવરાત્રી મેળો અને લીલી પરિક્રમામાં મોટું અન્ન ક્ષેત્ર ચલાવતા ખોડીયાર રાસ મંડળના હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે અંદાજે ત્રણ લાખથી વધુ લોકો લીલી પરિક્રમા કરવા માટે આવી ગયા છે પરંતુ વન વિભાગ એ ગેટ ખોલ્યા ન હોય આવા ભાવિકોએ ભવનાથમાં પડાવ નાખ્યો છે અમારા ખોડીયાર રાસ મંડળ દ્વારા બુધવાર સાંજેથી જ શેરનાથબાપુના આશ્રમ પાછળની અમારી જગ્યામાં તેમજ બોરદેવી પાસે અન્નક્ષેત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે દરમિયાન નિર્ભય ભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે ભીડ વધી જતા સોનાપુરી સ્મશાનથી તમામ વાહનોનો પ્રવેશ અટકાવી દેવાયો છે પરિણામે ભાવિકોને ચાલીને જવું પડી રહ્યું છે સોનાપુરી થી પરિક્રમા રૂટ સુધીનું અંદાજે 3.5 કિ.મી જેટલું અંતર થાય છે પરિણામે ખાસ કરીને મહિલાઓ બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

संबंधित पोस्ट

મોડાસામાં ટ્રાફિકની સમસ્યાના હલ માટે કોઇ જ વિકલ્પ નહીં, અધિક કલેક્ટર ફસાયા

Karnavati 24 News

નર્મદાના નીર દાહોદનાં છેવાડાના ગામ સુધી પહોંચ્યા , હાફેશ્વર યોજના થકી ૩૪૩ ગામ અને બે નગરની ૧૨.૪૮ લાખની વસ્તીને શુદ્ધ પાણી મળશે

Karnavati 24 News

 કોરોના સંક્રમણ:તાન્ઝાનિયાથી ગાંધીનગર આવેલા 2 વિદ્યાર્થીને કોરોના

Karnavati 24 News

 કાનાલુસ ગામે પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો

Karnavati 24 News

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નવસારીના વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી’ઓના સન્માન સાથે વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી

Gujarat Desk

ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી ગુજરાતની શાળાઓમાં વર્લ્ડક્લાસ શિક્ષણ આપવું એ જ રાજ્ય સરકારનો નિર્ધાર: શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર

Gujarat Desk
Translate »