ગારીયાધાર તાલુકામા આમ આદમી પાર્ટીની ભવ્ય સભા યોજઇ. હાલ સમગ્ર ગુજરાતમાં રાજકીય માહૌલ ગરમાયિ રહ્યો છે . ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આપ ના કેન્દ્રીય નેતાઓ હાલ ગુજરાત ની મુલાકાતે અને પોતાની સરકાર બનાવવા મથી રહ્યા છે . જેમાં આજ રોજ આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબના cm ગારીયાધાર ની મુલાકાતે આવ્યા હતા . જેમાં ગારીયાધાર ના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય સભા યોજાઈ હતી . સભામાં બહોળા પ્રમાણમાં ગારીયાધાર ઉપરાંત અન્ય તાલુકામા ના લોકો જોડાયા હતા .
આ સભામાં કેજરીવાલ દ્વારા વર્તમાન સરકાર સામે સવાલો ઉભા કર્યા હતા . અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા , આરોગ્ય કને અન્ય સુવિધાઓ સામે સવાલો કર્યા હતા . આ ઉપરાંત પાટીદાર આંદોલન ના અંતિમ પડાવના નેતા અલ્પેશભાઈ કથીરિયા જોડાયા હતા . જેમાં તેમની સાથે અન્ય પાટીદાર કાર્યક્રતાઓ પણ આપમાં જોડાયા હતા . આ ઉપરાંત કોંગ્રેસ ના સાત નગરપાલિકા ના સભ્યો પણ આપનો ખેસ ધારણ કર્યો હતો . આમ ગારીયાધાર તાલુકામા આમ આદમી પાર્ટીની જંગી જાહેર સભા યોજાઈ હતી.