ગાંધીનગર સેક્ટર-23માં ગુરુવારે મધરાતે એક ઝૂંપડામાં આગ લાગી હોવાની માહિતી ફાયર બ્રિગેડની ટીમને મળી હતી. આથી ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી ઝૂંપડામાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. હાલ આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયું નથી. પરંતુ, ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં કોઈ ઝેરોક્ષનાં ધંધાદારી એ છાંયડા માટે ઝૂંપડું બનાવ્યું હોવાનું જણાયું હતું.
માહિતી મુજબ, ગુરુવારે મધરાતે ગાંધીનગરના સેક્ટર-23માં કોર્ટ પાસેના એક ઝૂંપડામાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ સ્થાનિકોને થતા તેમણે ફાયરબ્રિગેડની ટીમને બોલાવી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી ત્વરિત કાર્યવાહી હાથ ધરી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ માહિતી નથી. પરંતુ ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈ ઝેરોક્ષનાં ધંધાદારી એ છાંયડા માટે ઝૂંપડું બનાવ્યું હતું.
સોસાયટીના મીટર બોક્સમાં લાગી આગ
બીજી એક ઘટનામાં ગાંધીનગરના સેક્ટર-23માં દેસાઈ નર્સિંગ હોમની પાસે આવેલી યોગેશ્વર ફ્લેટ સોસાયટીના મીટર બોક્સમાં અચાનક આગ લાગી હતી. આગ વિકરાળ થતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયરની ટીમે ત્વરિક કાર્યવાહી કરી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. આગની ઘટનાથી મોટી સંખ્યામાં વસાહતીઓ એકઠા થઈ ગયા હતા