Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાટણ શહેર ની હેમચંદ્રાચાર્ય જ્ઞાનગ્રંથ ભંડારમાં લાભ પાંચમે જ્ઞાનપંચમીની શ્રદ્ધાપૂર્વક ઊજવણી

પાટણ શહેર ની હેમચંદ્રાચાર્ય જ્ઞાનગ્રંથ ભંડારમાં લાભ પાંચમે જ્ઞાન પંચમીની શ્રદ્ધા પૂર્વક ઊજવણી પાટણ શહેર માં પંચાસરા જૈન મંદિર પાસે આવેલા ગ્રંથ ભંડાર માં શનિવારે લાભ પાંચમે જ્ઞાન પંચમીની શ્રદ્ધાપૂર્વક ઊજવણી કરવામાં આવી હતી જેમાં સિદ્ધરાજ જયસિહે લાવેલા સાહિત્ય સંપદા ગ્રંથોની પૂજા – અર્ચના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા માં જૈન સમાજ તેમજ અન્ય સમાજ ના લોકો એ પણ દર્શનનો લાભ લીધો હતો પીપળા શેરીમાં આવેલી ઐતિહાસિક પંચાસરા પાર્શ્વનાથ જિનાલય અને નગીન પૌષધ શાળા પાસે આવેલું હેમચંદ્રાચાર્ય જૈન ગ્રંથ ભંડાર જ્ઞાનમંદિર ખાતે હેમચંદ્રાચાર્યજી દ્વારા રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ સહિત અન્ય ગ્રંથો , સાહિત્ય ખજાનો , તાડપત્રી અંકિત સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્ય સંપદા સંગ્રહ કરવામાં આવેલી છે પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહ એ માળવા પર વિજય પ્રાપ્ત કર્યા પછી ઉજ્જૈન થી સમૃદ્ધ સાહિત્ય ખજાનો અહીં લાવ્યો હતો એનું સંવર્ધન અત્રે થઈ રહ્યું છે જૈન ગ્રંથ ભંડારમાં જ્ઞાનપંચમીએ પાટણ શહેર ના જૈન સમાજના શ્રદ્ધાળુઓ તેમજ અન્ય લોકો દ્વારા સાહિત્ય વારસાનું પૂજન કરવામાં આવ્યું હતું

संबंधित पोस्ट

ભરૂચ:નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઈન્ટ, એક સાથે બે મૃતદેહ મળતા ખળભળાટ

Karnavati 24 News

પાટણ-સિદ્ધપુર GIDCમાંથી ₹9.80 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો

Gujarat Desk

પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્કલેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે

Gujarat Desk

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Karnavati 24 News

રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા અને રાજ્યસભાના સાંસદશ્રી ગોવિંદ ધોળકિયાની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના “સદ્ વિધા મહોત્સવ, વાલી તથા વિદ્યાર્થી સંમેલન” યોજાયું

Gujarat Desk

એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાર્થીઓ માટે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની શુભકામનાઓ

Gujarat Desk
Translate »