પાટણ શહેર ની હેમચંદ્રાચાર્ય જ્ઞાનગ્રંથ ભંડારમાં લાભ પાંચમે જ્ઞાન પંચમીની શ્રદ્ધા પૂર્વક ઊજવણી પાટણ શહેર માં પંચાસરા જૈન મંદિર પાસે આવેલા ગ્રંથ ભંડાર માં શનિવારે લાભ પાંચમે જ્ઞાન પંચમીની શ્રદ્ધાપૂર્વક ઊજવણી કરવામાં આવી હતી જેમાં સિદ્ધરાજ જયસિહે લાવેલા સાહિત્ય સંપદા ગ્રંથોની પૂજા – અર્ચના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા માં જૈન સમાજ તેમજ અન્ય સમાજ ના લોકો એ પણ દર્શનનો લાભ લીધો હતો પીપળા શેરીમાં આવેલી ઐતિહાસિક પંચાસરા પાર્શ્વનાથ જિનાલય અને નગીન પૌષધ શાળા પાસે આવેલું હેમચંદ્રાચાર્ય જૈન ગ્રંથ ભંડાર જ્ઞાનમંદિર ખાતે હેમચંદ્રાચાર્યજી દ્વારા રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ સહિત અન્ય ગ્રંથો , સાહિત્ય ખજાનો , તાડપત્રી અંકિત સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્ય સંપદા સંગ્રહ કરવામાં આવેલી છે પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહ એ માળવા પર વિજય પ્રાપ્ત કર્યા પછી ઉજ્જૈન થી સમૃદ્ધ સાહિત્ય ખજાનો અહીં લાવ્યો હતો એનું સંવર્ધન અત્રે થઈ રહ્યું છે જૈન ગ્રંથ ભંડારમાં જ્ઞાનપંચમીએ પાટણ શહેર ના જૈન સમાજના શ્રદ્ધાળુઓ તેમજ અન્ય લોકો દ્વારા સાહિત્ય વારસાનું પૂજન કરવામાં આવ્યું હતું