Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

એસજી હાઈવેના નવ ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા છે પણ ઓવરબ્રિજ પર નથી

એસજી હાઈવેના નવ ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા છે પણ ઓવરબ્રિજ પર નથી.

  અમદાવાદ શહેર પોલીસ દ્વારા એસજી હાઈવે પરના સાત ટ્રાફિક જંકશન પર લગાવવામાં આવેલા સીસીટીવી જૂના જમાનાના સીસીટીવી કેમેરા છે. જે જૂની સિસ્ટમના છે. સરખેજ, ઇસ્કોન, પકવાન, ગુરુદ્વારા, ઝાયડસ, સોલા ભાગવત, જનતાનગર, ગોતા અને વૈષ્ણોદેવી ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા છે.
   પ્રહલાદનગર અને વાયએમસીએ સર્કલમાં કેમેરા બંધ હોવાની વિગતો સામે મળી રહી છે. જૂના જંકશન પર લગાવેલા કેમેરાથી ઈ-મેમો મોકલવાની સિસ્ટમ લાગુ છે. જોકે નવા બનેલા ઓવરબ્રિજ પર કેમેરાના અભાવે વાહનો તેજ ગતિએ દોડી રહ્યા છે. જોકે નજીકના ભવિષ્યમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 500 સીસીટીવી લગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેવી પણ વિગતો મળી રહી છે.

સરખેજ સર્કલ, ઇસ્કોન સર્કલ, પકવાન, ગુરુદ્વારા, સોલા ભાગવત, કારગીલ, ગોતા, વૈષ્ણોદેવી પછી ગાંધીનગરના ચારેય સર્કલ પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થયો છે. અમદાવાદ-ગાંધીનગર લગભગ જોડિયા શહેરો સાથે આ ઓવરબ્રિજ આસપાસના વિકાસશીલ વિસ્તારોના રહેવાસીઓ અને મુસાફરો માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે. ત્યારે અકસ્માત થાય છે. આથી આ કેસમાં એલર્ટ માટે સી.સી.ટી.વી. કેમેરા આવશ્યક છે.

संबंधित पोस्ट

ભુજમાં નવનિર્મિત વેધશાળામાં મુલાકાતીઓને અત્યાધુનિક ટેલિસ્કોપ દ્વારા મળે છે અદ્ભુત અવકાશી ઘટનાઓ નિહાળવાની તક

Gujarat Desk

જમ્મુ અને કાશ્મીરના યુવાનો માટે ગાંધીનગરમાં કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું ઉદ્ઘાટન કાર્યક્રમની શરુઆત

Gujarat Desk

વઢવાણ-કોઠારીયા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત

Gujarat Desk

ભગવાન શ્રી રામ અને રામાયણ ગાથાનો મહિમા ટપાલ ટિકિટો દ્વારા દેશ અને વિદેશમાં ફેલાવવામાં આવી રહ્યો છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Gujarat Desk

કાગડાપીઠમાં પ્રેમસંબંધમાં હત્યાનો ચોંકાવનારો બનાવ : છરીના ઘા મારીને કર્યુ મર્ડર

Gujarat Desk

સુરતના ઉધનામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત થયુ

Gujarat Desk
Translate »